ટંકારાના મીતાણા નજીક રીક્ષામાં બેઠેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ કરનાર રાજકોટના શખ્સ સહિત બે પકડાયા: 6.81 લાખનો મુદામાલ કબ્જે મોરબીના પાનેલી ગામે જૂના મનદુ:ખમાં યુવાન ઉપર ધોકા વડે હુમલો, ચાર સામે ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબીના સામાકાંઠા વિસ્તારના પરિવારની યુવતી ગુમ, ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબીમાં આવેલ જીઆઇડીસીમાં ડેરીની અંદર દૂધ ગરમ કરવાના બોઇલરમાં થયો બ્લાસ્ટ: એકને ઇજા ટંકારા ઓવરબ્રિજ પાસે એસટી બસને ટક્કર મારીને 50 હજારનું નુકશાન કરનારા ટ્રક કન્ટેનરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબી શહેર-તાલુકામાં વિદેશી દારૂની 4 રેડ, 14 બોટલ દારૂ સાથે 4 પકડાયા: હળવદના ગોલાસણ ગામેથી 1200 લિટર આથો ઝડપાયો હળવદના ચરડવા ગામ પાસે 1188 બોટલ દારૂ ભરેલ ઇનોવા ઝડપાઇ, કાર ચાલક ફરાર: 8.98 લાખનો મુદામાલ કબ્જે વાંકાનેરના પંચાસિયા ગામે પતિએ રસોઈ બાબતે ઠપકો આપતા મહિલાએ ઝેરી દવા પીને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી : વરસાદ ખેંચાતા ખેડૂતોના મોલને બચાવવા પિયત માટે પાણી આપવા મુખ્યમંત્રીને ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટની રજૂઆત


SHARE













મોરબી : વરસાદ ખેંચાતા ખેડૂતોના મોલને બચાવવા પિયત માટે પાણી આપવા મુખ્યમંત્રીને ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટની રજૂઆત

મોરબીના રહેવાસી કે.ડી.બાવરવા દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસોસીએશનના દરજ્જે રજૂઆત કરી તાજેતરમાં વરસાદ ખેંચાયો હોય ખેડૂતોના ઉભા પાક મુઝાઈ રહ્યા છે ત્યારે તેને બચાવી લેવા માટે પિયત માટે પાણી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.

વરસાદ ખેચાતા ખેડૂતોનાં મોલ સુકાઈ રહ્યા છે.ત્યારે હયાત કેનાલો દ્વારા ખેડૂતોને પોતાનો પાક બચાવવા માટે તાતાક્લીક પાણી આપવામા આવે તેવી માંગ ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસોસીએશન વકી કે.ડી.બાવરવાએ કરી જણાવેલ છેકે, ચાલુ સાલે સારી વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોએ ચોમાસું પાક માટે વાવેતર કરેલ છે.તેઓના પાક પણ ખુબ જ સારા છે.ત્યારે ચિંતાનો વિષય એ છે કે અત્યારે વરસાદની ખાસ જરૂરિયાત છે.પરંતુ ઉપરવાળો રીજતો નથી.અને વરસાદ ખેચાયેલ છે.આવા સંજોગોમાં જો હાલમાં તાત્કાલિક પાકને પાણી ન મળે તો ખેડૂતોએ કરેલ ખર્ચ અને મહેનત બેકાર જાય તેમ છે તેમજ હાલમાં પાક સુકાઈ રહ્યો છે.શાસ્ત્રોમાં  ભગવાન પછી રાજાને ભગવાનનો અંશ માનવામાં આવે છે તેથી ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકે લોકોની તમારી પાસે અપેક્ષા છે કે તેઓની જરૂરિયાત અને પાકો બચે તે માટે આપ જરૂર યોગ્ય કરશો જેથી આપને વિનંતી સાથે માંગણી છે કે,

મોરબી જીલ્લા માં આવેલા ડેમ જેવા કે મચ્છુ -૧, મચ્છુ -૨, મચ્છુ -૩, ડેમી-૧, ડેમી-૨, ડેમી-૩, ધોડાધ્રોઈ, ભ્રામણી -૧,૨,  તેમજ અન્ય ડેમો તેમજ નર્મદા યોજના ની ત્રણ બ્રાંચ કેનાલો, માળિયા બ્રાંચ,  ધ્રાંગધ્રા બ્રાંચ અને મોરબી બ્રાંચ દ્વારા મોરબી વિસ્તારનાં ખેડૂતો ને પોતાનો પાક બચાવવા ખરીફ પાક માટે સિંચાઈનું પાણી તાત્કાલિકનાં ધોરણે આપવામાં આવે.જો આ નિર્ણય મોડો લેવામાં આવશે તો પછી પાક બચશે નહી. ખેડૂતોને તે પાણીનો કોઈ ફાયદો નહી થાય. અને પાણી પણ બગડશે, તો તાત્કાલીક બે-ચારમાં નિર્ણય લઈને સિંચાઈ માટે પાણી આપવામાં આવે તેવી રજૂઆત સાથે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ માંગ કરેલ છે.






Latest News