મોરબી જેલમાં રહીને શ્રાવણ માસના ઉપવાસ કરતાં ભાઈઓ માટે ફરાળની ખાસ વ્યવસ્થા કરાઇ
SHARE
મોરબી જેલમાં રહીને શ્રાવણ માસના ઉપવાસ કરતાં ભાઈઓ માટે ફરાળની ખાસ વ્યવસ્થા કરાઇ
મોરબી સબ જેલ ખાતેમાં રાખવામા આવેલ બંદીવાન ભાઈઓમાંથી પવિત્ર શ્રાવણમાસમાં ૪૫ જેટલા બંદીવાન ભાઈઓ શ્રવણ મહિનાના ઉપવાસ કરી રહ્યા છે ત્યારે ઉપવાસની સાથોસાથ તે ભગવાનનું ભજન કીર્તન પણ જેલમાં કરતાં હોય છે ત્યારે જેલના નિયમો ઉપરાંત સેવા ભાવિ સંસ્થા દ્વારા ફરાળી ચેવડો, ફ્રૂટ, ફરાળી મીઠાઈની વ્યવસ્થા કરી આપવામાં આવેલ છે જેથી કરીને ઉપવાસ કરતાં દરેક ભાઈઓને રોજે ફરાળ આપવામાં આવે છે તેવું જેલ અધિક્ષક ડી.એમ. ગોહેલ તેમજ જેલર પી.એમ. ચાવડા પાસેથી જાણવા મળેલ છે