મોરબી સબજેલ ખાતે કેદીવાન ભાઈઓને બહેનો દ્વારા રક્ષાબંધન નિમિત્તે રાખડી બાંધવામાં આવી
મોરબી દશનામ ગોસ્વામી સમાજના વિધાર્થીઓના સન્માન-સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો
SHARE
મોરબી દશનામ ગોસ્વામી સમાજના વિધાર્થીઓના સન્માન-સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો
મોરબીમાં સિદ્ધિ વિનાયક વાડી ખાતે મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા દ્વિતીય વિધાર્થી સન્માન સમારોહ અને પારિવારિક સ્નેહમિલન યોજાયું હતું જેમાં કે.જી થી કોલેજ અને એમબીએ સહિતની ઉચ્ચ ડીગ્રી ધરાવતા કુલ ૧૫૦ વિધાર્થીઓના સન્માન કરવામાં આવ્યા હતા ત્યારે વિધાર્થીઓને શિલ્ડ અને શિક્ષણકીટ આપવામાં આવી હતી ત્યારે સંતો મહંતો, સમાજના આગેવાનો અને પત્રકારોના હસ્તે વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું સાથોસાથ સંતો મહંતો દ્વારા યુવક મંડળ ટિમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે મોરબીના પત્રકાર સુરેશભાઇ ગોસ્વામી, અલ્પેશભાઈ ગોસ્વામી, સંદીપભાઈ વ્યાસ, અશોકભાઈ ખરચરીયા સહિતના હાજર રહ્યા હતા આ તકે ખાસ કરીને આગેવાનોએ વિધાર્થીઓને શિક્ષણ સાથે શિવધર્મનું જ્ઞાન આપો જેથી ધર્મ પરિવર્તન જેવા કિસ્સા ન બને તેવી પણ ટકોર કરી હતી અને સંતાનોના ભણતરમાં માત્ર માતા નહિ માતા પિતા બંનેની પુરી જવાબદારી છે તમારા બાળકોને વધુને વધુ ભણાવો જેથી તેનું પરિવાર અને સમાજનું નામ રોશન કરશે આ સમારોહમાં ડો.જયદીપભાઈ ગોસ્વામી, સીએ સુકેતુગિરી ગોસ્વામી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહને સફળ બનાવવા યુવક મંડળના પ્રમુખ તેજશગીરી મગનગીરી, ઉપપ્રમુખ બળદેવગીરી, ટ્રસ્ટી અમીતગીરી ગુણવંતગીરી, નિતેશગીરી, એડવોકેટ હાર્દિકગીરી સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.









