મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

હળવદના મેરૂપર ગામે સાળાની હત્યાના ગુનામાં બનેવી સહિત ત્રણ આરોપીની ધરપકડ 


SHARE







હળવદના મેરૂપર ગામે સાળાની હત્યાના ગુનામાં બનેવી સહિત ત્રણ આરોપીની ધરપકડ 

મોરબી જિલ્લાના હળવદ તાલુકાનાં મેરૂપર ગામે સાળાને પથ્થરના ઘા ઝીકીને બનેવી અને તેના બે મિત્રોએ હત્યા કરી નાખી હતી જેની મૃતકના દીકરાએ ફરિયાદ નોંધાવી હતી તેના આધારે તાલુકા પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરેલ છે અને અકસ્માત બાદ બાઈકમાં થયેલ નુકશાનીના પૈસાની લેતીદેતી બાબતે બોલાચાલી કરીને બનેવી સહિતના ત્રણ શખ્સોએ સાળાની હત્યા કરી હોવનું સામે આવ્યું છે

હળવદના મેરૂપર ગામે યોગેશભાઈ હરજીવનભાઈ પટેલની વાડીએ રહીને મજુરી કરતા મૂળ એમપીના રહેવાસી દેવલાભાઈ નુરાભાઈ ચૌહાણની પથ્થરના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી છે અને તેની હત્યા તેના જ બનેવી અને તેના મિત્રોએ કરી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું જેથી કરીને મૃતકના દીકરા નાનકાભાઈ દેવલાભાઈ ચૌહાણએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભીખલીયાભાઈ લગસિંહ કાંકરિયાચંદુભાઈ જુબાટીયાભાઈછીતુંભાઈ જુબાટીયાભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કેતેના પિતા દેવલાભાઈ ચૌહાણ અને તેના મામા વચ્ચે બાઇક અથડાવવા મુદ્દે માથાકૂટ થઈ હતી. અને વધુમાં જણાવ્યુ છે કેફરિયાદીનું બાઇક આરોપી છીતુંભાઈ સાથે ભટકાયુ હતું. જેથી કરીને છીતુંભાઈએ બાઇકની નુક્શાનીના ૫૦૦ રૂપિયા ફરિયાદી પાસે માંગતા હતા અને ફરિયાદીએ પૈસા નહિ આપતા ફરિયાદીની ગેરહાજરીમાં આરોપીઓએ ઝઘડો કરીને ફરિયાદીના પિતાની હત્યા કરેલ હતી આમ બનેવી અને તેના બે મિત્રો દ્વારા સાળાની હત્યા કરવામાં આવી હતી જે ગુનામાં એલસીબીના સ્ટાફે ભીખલીયાભાઇ લગસીંહ કીકરીયા (૩૦) રહે.ચોકી તા.ચાનપુર જી.અલીરાજપુર એમપી હાલ રહે.મેરૂપર ગામની સીમમાં યોગેશભાઇ દેવજીભાઇ પટેલની વાડીમાં તા.હળવદ જી.મોરબી, ચંદુભાઇ જંબટીયાભાઇ ધાનુક (૩૦) રહે.ડુંગરગામ જાંબલી ફળીયુ તા.ચાનપુર જી.અલીરાજપુર એમપી અને છીતુભાઇ જુબટીયાભાઇ ધાનુક (૨૫) રહે.ડુંગરગામ જાંબલી ફળીયુ તા.ચાનપુર જી.અલીરાજપુર એમ.પી નીધરપકડ કરીને હળવદ પોલીસ હવાલે કર્યા હતા આરોપીઓ ને પકડવાની આ કામગીરી એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલ, હળવદ પીઆઇ કે.એમ.છાસીયા, તથા પીએસઆઇ કે.એચ.ભોચીયા, એ.ડી.જાડેજા તથા એલસીબી પેરોલ ફર્લો સ્કવોડ, ટેકનીકલ ટીમ, હળવદ પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવી હતી.






Latest News