હળવદના યુવાને વ્યાજે લીધેલ રૂપિયા-વ્યાજની પઠાણી ઉઘરાણી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપતા મોરબીના દંપતી સહિત 4 સામે ફરિયાદ વાંકાનેરના જાલીડા ગામ નજીક કારખાના પાસેથી યુવાનનો મૃતદેહ મળ્યો મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો
Breaking news
Morbi Today

જો સાળંગપુર મંદિરમાંથી વિવાદિત ચિત્રો-મૂર્તિઓ હટાવશે નહીં તો સાધુઓ મેદાને ઉતરશે: ભાવેશ્વરી માતાજી


SHARE













જો સાળંગપુર મંદિરમાંથી વિવાદિત ચિત્રો-મૂર્તિઓ હટાવશે નહીં તો સાધુઓ મેદાને ઉતરશે: ભાવેશ્વરી માતાજી

હાલમાં સાળંગપુર મંદિરમાં હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ દર્શાવવામાં આવ્યા છે તેવી જે પ્રતિમાઓ મૂકવામાં આવેલ છે તેને લઈને વિવાદ થયો છે ત્યારે મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી માતાજીએ આક્રોશ સાથે કહ્યું હતું કે, “હનુમાનજી મહારાજ સૌના દાદા છે તે કોઈના દાસ નથી

બોટાદના સાળંગપુર ખાતે હનુમાનજીની વિશાળ પ્રતિમા મૂકવામાં આવી છે અને તેની સાથે મૂકવામાં આવેલ પ્રતિમાઓમાં હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ દર્શાવવામાં આવ્યા છે જેને લઈને હાલમાં મોટો વિવાદ થયેલ છે અને ગામોગામ આ મુદો ચર્ચાનો વિષય બનેલ છે ત્યારે મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી માતાજીએ આકરા શબ્દોમાં કહ્યું હતું કે, “આ સંતોની માનસિકતા નીચી છે કદાચ સહજાનંદ સ્વામીએ પણ આવો વિચાર નહીં કર્યો હોય કેમ કે, વારંવાર શિવ-શક્તિકૃષ્ણ અને હનુમાનજીનું અપમાન કરવામાં આવે છે. ત્યારે હિંદુ થઈને હિંદુના દેવી-દેવતાનું અપમાન હવે સહન નહીં થાય. કેમકે હનુમાનજી સહુના દાદા છે તે કોઈના દાસ નહીં. તે દાસ માત્ર રામના છે. જેથી કરીને વહેલી તકે તમામ ચિત્રો અને મૂર્તિઓ હટાવી લેવા માંગ કરી છે અને જો આમ નહીં થાય તો મોરબી સાધુ સમાજ અને અન્ય સમાજ મેદાને ઉતરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી






Latest News