હળવદના મેરૂપર ગામે સાળાની હત્યાના ગુનામાં બનેવી સહિત ત્રણ આરોપીની ધરપકડ
જો સાળંગપુર મંદિરમાંથી વિવાદિત ચિત્રો-મૂર્તિઓ હટાવશે નહીં તો સાધુઓ મેદાને ઉતરશે: ભાવેશ્વરી માતાજી
SHARE
જો સાળંગપુર મંદિરમાંથી વિવાદિત ચિત્રો-મૂર્તિઓ હટાવશે નહીં તો સાધુઓ મેદાને ઉતરશે: ભાવેશ્વરી માતાજી
હાલમાં સાળંગપુર મંદિરમાં હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ દર્શાવવામાં આવ્યા છે તેવી જે પ્રતિમાઓ મૂકવામાં આવેલ છે તેને લઈને વિવાદ થયો છે ત્યારે મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી માતાજીએ આક્રોશ સાથે કહ્યું હતું કે, “હનુમાનજી મહારાજ સૌના દાદા છે તે કોઈના દાસ નથી
બોટાદના સાળંગપુર ખાતે હનુમાનજીની વિશાળ પ્રતિમા મૂકવામાં આવી છે અને તેની સાથે મૂકવામાં આવેલ પ્રતિમાઓમાં હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ દર્શાવવામાં આવ્યા છે જેને લઈને હાલમાં મોટો વિવાદ થયેલ છે અને ગામોગામ આ મુદો ચર્ચાનો વિષય બનેલ છે ત્યારે મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી માતાજીએ આકરા શબ્દોમાં કહ્યું હતું કે, “આ સંતોની માનસિકતા નીચી છે કદાચ સહજાનંદ સ્વામીએ પણ આવો વિચાર નહીં કર્યો હોય કેમ કે, વારંવાર શિવ-શક્તિ, કૃષ્ણ અને હનુમાનજીનું અપમાન કરવામાં આવે છે. ત્યારે હિંદુ થઈને હિંદુના દેવી-દેવતાનું અપમાન હવે સહન નહીં થાય. કેમકે હનુમાનજી સહુના દાદા છે તે કોઈના દાસ નહીં. તે દાસ માત્ર રામના છે. જેથી કરીને વહેલી તકે તમામ ચિત્રો અને મૂર્તિઓ હટાવી લેવા માંગ કરી છે અને જો આમ નહીં થાય તો મોરબી સાધુ સમાજ અને અન્ય સમાજ મેદાને ઉતરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી









