મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ મોરબીમાં ભાજપ સાથે 32 વર્ષથી જોડાયેલ આગેવાને પક્ષમાંથી આપ્યું રાજીનામુ ટંકારા તાલુકામાં ધોળા દિવસે  ચોરી કરનાર આરોપીના જામીન મંજુર મોરબીના જૂના ઘૂટું રોડ ઉપરથી 1776 બોટલ દારૂ ભરેલ કાર સાથે રાજકોટનો શખ્સ પકડાયો, માલ આપનાર અને મંગાવનારની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના શિક્ષકોના પ્રશ્નો ન ઉકેલતા જિલ્લા શૈક્ષણિક સંઘ દ્વારા બોલાવવામાં આવી રામધૂન


SHARE













મોરબીના શિક્ષકોના પ્રશ્નો ન ઉકેલતા જિલ્લા શૈક્ષણિક સંઘ દ્વારા બોલાવવામાં આવી રામધૂન

મોરબી જિલ્લા અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના કર્મચારીઓના પડતર પ્રશ્નો બાબતે ગુજરાત વિધાનસભા ચૂંટણી ડીસેમ્બર-૨૦૨૨ પહેલાં ગુજરાત સરકારના તત્કાલીન મંત્રીઓની બનેલી કમિટિ સાથે થયેલ સમાધાન મૂજબ પડતર પ્રશ્નોના ઠરાવો-પરિપત્રો નહી થતાં "ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ"ના આદેશ મૂજબ "મોરબી જિલ્લા શેક્ષણિક સંઘ સંકલન સમિતિ" દ્બારા આંદોલનના સાતમાં તબક્કામાં "રામધૂન"નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતી આ બાબતે સમિતિના પ્રમૂખ સંજીવભાઈ જાવિયા અને મહામંત્રી મુસ્તાકભાઈ ભોરિયાના જણાવ્યા મૂજબ વિવિધ પડતર પ્રશ્નો જેવા કે ૧/૪/૨૦૦૫ પહેલાં ભરતી થયેલ કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાગુ કરવી, સી.પી.એફ.ખાતામાં કેન્દ્રના ધોરણે ગુજરાત સરકારએ ૧૪ %રકમ જમા કરવી, નિવૃતિ સમયે ૩૦૦ જમા રજાનું રોકડમાં રૂપાંતર કરવું, કલાર્ક-પટ્ટાવાળા-જૂના શિક્ષકોની ભરતી કરવી, આચાર્યને ૫/૧/૬૫ મૂજબ ઈજાફો આપવો સહિતના વિવિધ પ્રશ્નો બાબતે મોરબી ખાતે શનાળા રોડ પર આવેલ પંચમૂખી રોકડિયા હનુમાન મંદીરે સમગ્ર જિલ્લાના કર્મચારીઓએ એકઠા થઈને સરકરનું ધ્યાન દોરવા "રામધૂન"નો અનોખો કાર્યક્રમ રાખેલ હતી .આ કાર્યક્રમને સફળ બનાવવા ઉ.મા.શિક્ષક સંઘ પ્રમૂખ ભગવાનભાઈ કુંભરવાડિયા, મંત્રી વિશાલભાઈ ગોધાણી, માધ્યમિક શિક્ષક સંઘ પ્રમૂખ બાબુલાલ હુંબલ તથા વહિવટી સંઘ પ્રમૂખ રાઘવભાઈ સંઘાણીમહામંત્રી ભાવેશભાઈ પ્રજાપતિ વગેરેએ જહેમત ઉઠાવુ હતી. અંતમાં આચાર્ય સંઘના પ્રમૂખ એસ.પી. સરસાવાડિયાએ સંગઠનને મજબૂત બનાવવાની અપીલ સાથે સૌનો આભાર માન્યો હતો.






Latest News