મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના શિક્ષકોના પ્રશ્નો ન ઉકેલતા જિલ્લા શૈક્ષણિક સંઘ દ્વારા બોલાવવામાં આવી રામધૂન


SHARE







મોરબીના શિક્ષકોના પ્રશ્નો ન ઉકેલતા જિલ્લા શૈક્ષણિક સંઘ દ્વારા બોલાવવામાં આવી રામધૂન

મોરબી જિલ્લા અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના કર્મચારીઓના પડતર પ્રશ્નો બાબતે ગુજરાત વિધાનસભા ચૂંટણી ડીસેમ્બર-૨૦૨૨ પહેલાં ગુજરાત સરકારના તત્કાલીન મંત્રીઓની બનેલી કમિટિ સાથે થયેલ સમાધાન મૂજબ પડતર પ્રશ્નોના ઠરાવો-પરિપત્રો નહી થતાં "ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ"ના આદેશ મૂજબ "મોરબી જિલ્લા શેક્ષણિક સંઘ સંકલન સમિતિ" દ્બારા આંદોલનના સાતમાં તબક્કામાં "રામધૂન"નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતી આ બાબતે સમિતિના પ્રમૂખ સંજીવભાઈ જાવિયા અને મહામંત્રી મુસ્તાકભાઈ ભોરિયાના જણાવ્યા મૂજબ વિવિધ પડતર પ્રશ્નો જેવા કે ૧/૪/૨૦૦૫ પહેલાં ભરતી થયેલ કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાગુ કરવી, સી.પી.એફ.ખાતામાં કેન્દ્રના ધોરણે ગુજરાત સરકારએ ૧૪ %રકમ જમા કરવી, નિવૃતિ સમયે ૩૦૦ જમા રજાનું રોકડમાં રૂપાંતર કરવું, કલાર્ક-પટ્ટાવાળા-જૂના શિક્ષકોની ભરતી કરવી, આચાર્યને ૫/૧/૬૫ મૂજબ ઈજાફો આપવો સહિતના વિવિધ પ્રશ્નો બાબતે મોરબી ખાતે શનાળા રોડ પર આવેલ પંચમૂખી રોકડિયા હનુમાન મંદીરે સમગ્ર જિલ્લાના કર્મચારીઓએ એકઠા થઈને સરકરનું ધ્યાન દોરવા "રામધૂન"નો અનોખો કાર્યક્રમ રાખેલ હતી .આ કાર્યક્રમને સફળ બનાવવા ઉ.મા.શિક્ષક સંઘ પ્રમૂખ ભગવાનભાઈ કુંભરવાડિયા, મંત્રી વિશાલભાઈ ગોધાણી, માધ્યમિક શિક્ષક સંઘ પ્રમૂખ બાબુલાલ હુંબલ તથા વહિવટી સંઘ પ્રમૂખ રાઘવભાઈ સંઘાણીમહામંત્રી ભાવેશભાઈ પ્રજાપતિ વગેરેએ જહેમત ઉઠાવુ હતી. અંતમાં આચાર્ય સંઘના પ્રમૂખ એસ.પી. સરસાવાડિયાએ સંગઠનને મજબૂત બનાવવાની અપીલ સાથે સૌનો આભાર માન્યો હતો.






Latest News