મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબીના હળવદ તાલુકાના રણછોડગઢ ગામે થયેલ મારામારીમાં સારવાર દરમિયાન વૃદ્ધાનું મોત


SHARE













મોરબીના હળવદ તાલુકાના રણછોડગઢ ગામે થયેલ મારામારીમાં સારવાર દરમિયાન વૃદ્ધાનું મોત

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના રણછોડગઢ ગામે તા.૩૧-૮ ના રોજ મારામારીનો બનાવ બન્યો હતો અને કુટુંબિક સગાઓ વચ્ચે થયેલ મારામારી દરમિયાન પગના ભાગે થયેલ ઇજામાં સારવાર માટે મોરબી ખસેડાયેલા વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોય હાલ વૃદ્ધાના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે અને જૂની અદાવતમાં ઝઘડો ચાલતો હતો અને દરમિયાનમાં કાર લેવામાં આવી હોય તારી કાર તોડી નાખવી છે તેવી બાબતે જે તે સમયે ઝઘડો થયો હતો.તેમ પોલીસ સૂત્રોમાંથી પ્રાથમિક ધોરણે જાણવા મળેલ છે.

હળવદના રણછોડગઢ ગામે રહેતા પ્રેમીલાબેન દેવશીભાઈ સુરેલા (ઉમર ૬૦) નામના વૃદ્ધાને ઘરે થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત હાલતમાં તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવવાની પ્રાથમિક તપાસ વિપુલભાઈ ફૂલતરિયાએ કરી હતી જોકે, બનાવ હળવદ તાલુકા પોલીસની હદનો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવામાં આવી હતી.

દરમિયાનમાં મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં રહેલા પ્રેમીલાબેન દેવશીભાઈ સુરેલા નામના ૬૦ વર્ષીય રણછોડગઢ ગામના વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત નીપજયુ હોય મોતનું ખરું કારણ જાણવા માટે મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે. મારામારીનો બનાવ હત્યામાં પલ્ટાયો હોય તેવી આ ઘટનામાં વૃદ્ધાનું મોત મારામારીની ઈજાઓમાં થયું છે કે અન્ય કોઈ બાબત છે..? તે દિશામાં ખરી હકીકત મેળવવા માટે મૃતકનું પોલીસ દ્રારા રાજકોટ ખાતે ફોરેન્સિક પીએમ કરાવવામાં આવશે. હાલ આ બાબતે હળવદ પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.






Latest News