મોરબી સિરામિક એસો.ના વોલ ટાઇલ્સ ડિવિઝન પ્રમુખ માટે કાલે મતદાન, 3 ઉમેદવાર મેદાનમાં: સાંજે ફેંસલો મોરબીમાં મહિલાઓના સર્વાંગી વિકાસ માટે 21મી માર્ચે વુમન્સ લીડરશીપ કોન્કલેવ મોરબીમાં તોતિંગ વૃક્ષ વીજ પોલ ઉપર તૂટી પડતાં રસ્તો બંધ મોરબીના પાનેલી ગામે ભારે પવનના લીધે ઝાડ ઉપરથી પપૈયા ખરી પડ્યા ટંકારા અને મોરબી વિસ્તારમાં વિદેશી દારૂની 4 રેડમાં 112 બોટલ દારૂ ઝડપાયો ટંકારાના છતર ગામે માવતરના ઘરે રહેતી પરણીતાને કરિયાવર બાબતે હેરાન કરતાં પતિ સહિત 5 સામે ફરિયાદ વાંકાનેરના લિંબાળા ગામે ઘરમાં જુગારની રેડ કરતાં 1.53 લાખના મુદામાલ સાથે 7 પકડાયા: એક ફરાર મોરબીમાં ધક્કાવાળી મંદિર નજીક એસટી બસના ચાલકે હડફેટે લેતા આધેડને માથામાં ઇજા અને પગમાં ફેક્ચર
Breaking news
Morbi Today

મોરબીના હળવદ તાલુકાના રણછોડગઢ ગામે થયેલ મારામારીમાં સારવાર દરમિયાન વૃદ્ધાનું મોત


SHARE













મોરબીના હળવદ તાલુકાના રણછોડગઢ ગામે થયેલ મારામારીમાં સારવાર દરમિયાન વૃદ્ધાનું મોત

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના રણછોડગઢ ગામે તા.૩૧-૮ ના રોજ મારામારીનો બનાવ બન્યો હતો અને કુટુંબિક સગાઓ વચ્ચે થયેલ મારામારી દરમિયાન પગના ભાગે થયેલ ઇજામાં સારવાર માટે મોરબી ખસેડાયેલા વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોય હાલ વૃદ્ધાના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે અને જૂની અદાવતમાં ઝઘડો ચાલતો હતો અને દરમિયાનમાં કાર લેવામાં આવી હોય તારી કાર તોડી નાખવી છે તેવી બાબતે જે તે સમયે ઝઘડો થયો હતો.તેમ પોલીસ સૂત્રોમાંથી પ્રાથમિક ધોરણે જાણવા મળેલ છે.

હળવદના રણછોડગઢ ગામે રહેતા પ્રેમીલાબેન દેવશીભાઈ સુરેલા (ઉમર ૬૦) નામના વૃદ્ધાને ઘરે થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત હાલતમાં તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવવાની પ્રાથમિક તપાસ વિપુલભાઈ ફૂલતરિયાએ કરી હતી જોકે, બનાવ હળવદ તાલુકા પોલીસની હદનો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવામાં આવી હતી.

દરમિયાનમાં મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં રહેલા પ્રેમીલાબેન દેવશીભાઈ સુરેલા નામના ૬૦ વર્ષીય રણછોડગઢ ગામના વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત નીપજયુ હોય મોતનું ખરું કારણ જાણવા માટે મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે. મારામારીનો બનાવ હત્યામાં પલ્ટાયો હોય તેવી આ ઘટનામાં વૃદ્ધાનું મોત મારામારીની ઈજાઓમાં થયું છે કે અન્ય કોઈ બાબત છે..? તે દિશામાં ખરી હકીકત મેળવવા માટે મૃતકનું પોલીસ દ્રારા રાજકોટ ખાતે ફોરેન્સિક પીએમ કરાવવામાં આવશે. હાલ આ બાબતે હળવદ પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.




Latest News