મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

સાળંગપુરમાં માત્ર ભીતચિત્રો જ નહીં હનુમાનજીની મુર્તિનું તિલક પણ બદલાવવાની મોરબી-ટંકારા સાધુ સમાજની માંગ


SHARE







સાળંગપુરમાં માત્ર ભીતચિત્રો જ નહીં હનુમાનજીની મુર્તિનું તિલક પણ બદલાવવાની મોરબી-ટંકારા સાધુ સમાજની માંગ

મોરબીમાં રામાનંદી સાધુ સમાજ તથા ત્રિપાંખ સાધુ સમાજ દ્વારા કલેક્ટર કચેરીના પટાંગણમાં હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને સાળંગપુર મંદિરમાં હનુમાનજીની વિશાળ પ્રતિમા ઉપર જે તિલક બનાવવામાં આવ્યું છે તે તિલક બદલાવવામાં આવે તથા વિવાદિત ચિત્રોને હટાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

છેલ્લા ઘણા દિવસોથી સાળંગપુર મંદિરમાં જે વિશાળ કદની હનુમાનજીની પ્રતિમા મુકવામાં આવી છે અને તેની નીચે લગાવવામાં આવેલા ભીંતચિત્રોનો વિવાદ ચાલી રહ્યો છે અને તે ભીંત ચિત્રો હટાવવામાં આવે તેવી માંગ સાથે જુદા જુદા સમાજના સંગઠનો તથા સાધુ સમાજ દ્વારા માંગ કરવા આવી રહી છે અને તેને લઈને બેઠકો પણ સાળંગપુર ખાતે યોજાઇ હતી જો કે હજુ સુધી તે ભીંતચિત્રોને હટાવવામાં આવ્યા નથી અને કોઈ સ્પષ્ટ વાત પણ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા કરવામાં આવતી નથી ત્યારે મોરબીમાં રામાનંદી સાધુ સમાજ તથા ત્રિપાંખ સાધુ સમાજ દ્વારા જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચીને ત્યાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

જોકે આવેદનપત્ર પાઠવતા પહેલા મોરબી કલેકટર કચેરીના પટાંગણમાં એકત્રિત થયેલા સાધુ સમાજના સંતો તથા હાજર રહેલા તમામ લોકો દ્વારા હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવ્યું હતું ત્યારબાદ જય શ્રીરામ અને જય હનુમાનના જય ઘોષ કરવામાં આવ્યા હતા ત્યાર પછી કલેક્ટરને આવેદનપત્ર આપીને વિવાદિત ભીંત ચિત્રોને હટાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે તેની સાથો સાથ હનુમાનજીની જે વિશાળ કદની મૂર્તિ ત્યાં સાળંગપુરના પટાંગણમાં મૂકવામાં આવી છે તેમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે પ્રકારનું તિલક કરવામાં આવે છે તેવું તિલક કરેલું છે તે તિલક હટાવીને ત્યાં સાધુ સમાજ દ્વારા જે તિલક કરવામાં આવે છે તે પ્રકારનું તિલક કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવેલ છે આ તકે રામધન આશ્રમ મહંત ભાવેશ્વરી માતાજી, બગથળા નકલંક મંદિરના મહંત દામજી ભગત સહિતના સાધુ સંતો અને આગેવાનો હાજર રહ્યા હતા






Latest News