મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબીની ભારતી વિધાલય શાળામાં ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણની યાદમાં શિક્ષકદિન ઉજવાયો


SHARE













મોરબીની ભારતી વિધાલય શાળામાં ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણની યાદમાં શિક્ષકદિન ઉજવાયો

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલી ભારતી વિદ્યાલય શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવેલ હતી જેમાં કેજી થી ધો ૧૨ ના વિદ્યાર્થીઓએ જ એક દિવસીય શિક્ષક તરીકેની ભૂમિકા ભજવેલ હતી અને શાળાના કુલ ૧૨૦ થી વધુ વિદ્યાર્થીઓએ આ દિવસને યાદગાર બનાવવા ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને શિક્ષક તરીકેની ભૂમિકા ભજવી હતી અને શાળાના સવાર પાળીના આચાર્યા તરીકે પરમાર દીપાન્સી જ્યંતિભાઈ (ધો. ૯) અને બપોરપાળીના આચાર્યા તરીકે જાડેજા પ્રિયંકા અનિરુદ્ધસિંહ (ધો. ૧૨) એ એક દિવસ માટે જવાબદારી નિભાવી અને સમગ્ર શાળા અને શિક્ષકો સાથે સંકલન સાથે શિક્ષક દિવસની ઉજવણી કરેલ હતી  અંતમાં શાળાના એક દિવસીય આચાર્ય દ્વારા ભાગ લેતા દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામ આપેલ તેમજ શાળા સંચાલક કૌશલભાઈ મહેતા અને વિવેકભાઈ મહેતાએ વિદ્યાર્થીઓને શા માટે સમાજને શિક્ષકની જરૂર છે ? વિશે માહિતી આપવામાં આવી હતી અને શાળાના પ્રમુખ હિતેશભાઈ મહેતાએ ભાગ લેતા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા






Latest News