મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીની ભારતી વિધાલય શાળામાં ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણની યાદમાં શિક્ષકદિન ઉજવાયો


SHARE













મોરબીની ભારતી વિધાલય શાળામાં ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણની યાદમાં શિક્ષકદિન ઉજવાયો

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલી ભારતી વિદ્યાલય શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવેલ હતી જેમાં કેજી થી ધો ૧૨ ના વિદ્યાર્થીઓએ જ એક દિવસીય શિક્ષક તરીકેની ભૂમિકા ભજવેલ હતી અને શાળાના કુલ ૧૨૦ થી વધુ વિદ્યાર્થીઓએ આ દિવસને યાદગાર બનાવવા ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને શિક્ષક તરીકેની ભૂમિકા ભજવી હતી અને શાળાના સવાર પાળીના આચાર્યા તરીકે પરમાર દીપાન્સી જ્યંતિભાઈ (ધો. ૯) અને બપોરપાળીના આચાર્યા તરીકે જાડેજા પ્રિયંકા અનિરુદ્ધસિંહ (ધો. ૧૨) એ એક દિવસ માટે જવાબદારી નિભાવી અને સમગ્ર શાળા અને શિક્ષકો સાથે સંકલન સાથે શિક્ષક દિવસની ઉજવણી કરેલ હતી  અંતમાં શાળાના એક દિવસીય આચાર્ય દ્વારા ભાગ લેતા દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામ આપેલ તેમજ શાળા સંચાલક કૌશલભાઈ મહેતા અને વિવેકભાઈ મહેતાએ વિદ્યાર્થીઓને શા માટે સમાજને શિક્ષકની જરૂર છે ? વિશે માહિતી આપવામાં આવી હતી અને શાળાના પ્રમુખ હિતેશભાઈ મહેતાએ ભાગ લેતા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા






Latest News