મોરબીની ભારતી વિધાલય શાળામાં ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણની યાદમાં શિક્ષકદિન ઉજવાયો
ટંકારામાં આયોજિત પુસ્તક પરબ સાથે ત્રિવેણી કાર્યક્રમ યોજાયો
SHARE
ટંકારામાં આયોજિત પુસ્તક પરબ સાથે ત્રિવેણી કાર્યક્રમ યોજાયો
છેલ્લા ૩ વર્ષથી પુસ્તક પરબ આર્થિક રૂપે મદદ કરનાર મસોત ભારતીબેન મયંકભાઇ કે, જે તેમના વ્હાલસોયા દીકરા રીધમના જન્મદિવસે પરબને પુસ્તકો લેવા માટે રોકડ રકમ આપી હતી જેથી તેનું સન્માન કરવામાં આવ્યું હતું સાથોસાથ આ વર્ષે દીકરીના જન્મદિવસે સમાજને એક અલગ રાહ ચિંધનાર એવા હરીપરના રહેવાસી ભાગીયા નવલિકાબેન નીશિથભાઈ કે, જેમણે તેમની દીકરી આરાધ્યાના જન્મદિવસે પુસ્તક પરબને તેમની દીકરીના વજન જેટલા એટલે કે, ૯ કિલો પુસ્તકો ભેટ આપ્યા હતા જેથી તેનું પણ સન્માન કરવામાં આવ્યું હતું અને શિક્ષક દિનને ધ્યાને રાખીને ટંકારામાં કર્તવ્ય નિષ્ઠ શિક્ષક પાલરિયા રવજીભાઈ કે, જે નિવૃત્ત હોવા છતાં શિક્ષણ જગત સાથે જોડાઈ કાર્ય કરે છે તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું