મોરબી કોંગ્રેસના આગેવાનો સામેની ફરિયાદમાં તટસ્થ તપાસની માંગ
SHARE
મોરબી કોંગ્રેસના આગેવાનો સામેની ફરિયાદમાં તટસ્થ તપાસની માંગ
મોરબી જીલ્લામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો પ્રજાના પ્રશ્નનું નિરાકરણ આવે તે માટે જે તે વિભાગોમાં રજૂઆત કરતાં હોય છે પરંતુ ઘણી વખત સત્તાપક્ષ અને તેના સદસ્યના અંગત હિતને નુકશાન થતું હોય તેવું લાગે એટલે સત્તાનો દૂરઉપયોગ કરી કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો વિરુદ્ધ પાયા વિહોણા આક્ષેપ કરીને ફરિયાદો નોંધાવે છે. અને સતા પક્ષના લોકો ખોટી ફરિયાદ નોંધાવે ત્યારે સતા પક્ષના દબાણમાં આવ્યા વગર નિષ્પક્ષ તટસ્થ તપાસ કરવી જરૂરી છે. થોડા સમય પહેલા મોરબી જીલ્લામાં કોંગ્રેસ પક્ષના આગેવાનો પ્રજાના પ્રશ્નો હળવદ મુકામે જી.ઇ.બી. ને રજૂઆત કરતાં જી.ઇ.બી. ના કર્મચારીને હાથ્થો બનાવીને ફરિયાદ કરાવી હતી. તેવી જ રીતે હાલ મોરબી શહેરના કોંગ્રેસના આગેવાનને મોરબી નગર પાલિકાના કર્મચારી દ્વારા સફાઈ કર્મચારી પાસે મંગેલી લાંચ બાબતે ફરિયાદ કરતાં ભાજપના માજી મહિલા સદસ્ય દ્વારા ફરિયાદ નોંધાવેલ છે ત્યારે કોંગ્રેસના આગેવાનોની સામે કરવામાં આવેલ ફરિયાદની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે ત્યારે કોંગ્રેસના આગેવાન દિનેશભાઇ પરમાર, મહેશભાઇ રાજ્યગુરુ, એલ.એમ. કંઝારીયા, રામભાઇ રબારી, કે.ડી. પડસુંબિયા, કરશનભાઇ ભરવાડ, ટીનાભાઇ સહિતના કોંગ્રેસનાં આગેવાનો હાજર રહ્યા હતા