ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા મોરબીના સાહિલ માજોઠીની કેન્સર પીડિત માતા માટે માનવતાના ધોરણે દીકરાને મુક્ત કરી વતન વાપસી માટે વકીલ દીપા જોસેફે યુક્રેન સરકારને કરી રજૂઆત મોરબીના આમરણ ચોવીસે વિસ્તારમાંથી 100 જેટલા ટ્રેક્ટર સાથે ખેડૂતોએ જેતપર ગામે પહોંચીને આપ્યું સમર્થન, રાજ્યમંત્રીના નાના ભાઈ ભરતભાઈ અમૃતિયાએ આંદોલનને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો ઉંદર મારવાની દવા પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોરબી ખાતે મોત વધુ એક હત્યા: ટંકારાના નસીતપર-રાજપર રોડ ઉપર પાકીટ ચોરી બાબતે શેઠે માથાં બોથડ પદાર્થ મારતા યુવાનનું મોત મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે બાઇક-મશાલ રેલી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં ઓમ સાંઈ શક્તિ ગૃપ દ્વારા જન્માષ્ટમીની કરાશે ઉજવણી


SHARE









મોરબીમાં ઓમ સાંઈ શક્તિ ગૃપ દ્વારા જન્માષ્ટમીની કરાશે ઉજવણી

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલી નવી પોસ્ટ ઓફિસ પાસેના ચોકમાં સદગુરુ પાનની બાજુમાં ઓમ સાંઈ શક્તિ ગૃપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મટકી ફોડ સહિતના કાર્યક્રમ યોજાશે

આગામી તા ૭ ના રોજ ગુરૂવારે રાત્રે ૮:૩૦ કલાકે જન્માષ્ટમી નિમિતે ભગવાન કૃષ્ણના સામૈયા, એક સાંજ સંસ્કૃતિ કે નામ ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં લોક સાહિત્યકાર રાજુભાઈ આહિર તથા કશ્યપ અગ્રાવત, રાહુલ મકવાણા (સાજિંદા ગૃપ) જમાવટ કરશે અને રાતે ૧૨ કલાકે મટકી ફોડ કરવામાં આવશે આ કાર્યક્રમમાં આવવા માટે અને ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા આયોજક લાલુભા માનુભા ઝાલાએ નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

માધાપરવાડી શાળા
મોરબીની માધાપરવાડી શાળામાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરાવામાં આવે હતી ત્યારે મટકી ફોડ સહિતના કાર્યક્રમ રાખવામા આવ્યા હતા આ કાર્યક્રમમાં શાળાના બાળકોએ રાધા-કૃષ્ણના વસ્ત્રો પરિધાન કરીને સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ નૃત્યગીતો રજૂ કર્યા હતા. આ સાથે બેસ્ટ કૃષ્ણ અને યશોદા, બેસ્ટ રાધા જેવી સ્પર્ધા પણ રાખવામાં આવી હતી. આ સ્પર્ધામાં ૪૦૦ જેટલી વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં જજ તરીકે નિકિતાબેન કૈલા, નિમિષાબેન ચાવડા, ચાંદનીબેન સાંણજાએ કામગીરી બજાવી હતી. આ સ્પાર્ધાના અંતે વિજેતાઓને પ્રોત્સાહક પારિતોષિક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના તમામ શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી.






Latest News