મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં ઓમ સાંઈ શક્તિ ગૃપ દ્વારા જન્માષ્ટમીની કરાશે ઉજવણી


SHARE







મોરબીમાં ઓમ સાંઈ શક્તિ ગૃપ દ્વારા જન્માષ્ટમીની કરાશે ઉજવણી

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલી નવી પોસ્ટ ઓફિસ પાસેના ચોકમાં સદગુરુ પાનની બાજુમાં ઓમ સાંઈ શક્તિ ગૃપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મટકી ફોડ સહિતના કાર્યક્રમ યોજાશે

આગામી તા ૭ ના રોજ ગુરૂવારે રાત્રે ૮:૩૦ કલાકે જન્માષ્ટમી નિમિતે ભગવાન કૃષ્ણના સામૈયા, એક સાંજ સંસ્કૃતિ કે નામ ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં લોક સાહિત્યકાર રાજુભાઈ આહિર તથા કશ્યપ અગ્રાવત, રાહુલ મકવાણા (સાજિંદા ગૃપ) જમાવટ કરશે અને રાતે ૧૨ કલાકે મટકી ફોડ કરવામાં આવશે આ કાર્યક્રમમાં આવવા માટે અને ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા આયોજક લાલુભા માનુભા ઝાલાએ નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

માધાપરવાડી શાળા
મોરબીની માધાપરવાડી શાળામાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરાવામાં આવે હતી ત્યારે મટકી ફોડ સહિતના કાર્યક્રમ રાખવામા આવ્યા હતા આ કાર્યક્રમમાં શાળાના બાળકોએ રાધા-કૃષ્ણના વસ્ત્રો પરિધાન કરીને સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ નૃત્યગીતો રજૂ કર્યા હતા. આ સાથે બેસ્ટ કૃષ્ણ અને યશોદા, બેસ્ટ રાધા જેવી સ્પર્ધા પણ રાખવામાં આવી હતી. આ સ્પર્ધામાં ૪૦૦ જેટલી વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં જજ તરીકે નિકિતાબેન કૈલા, નિમિષાબેન ચાવડા, ચાંદનીબેન સાંણજાએ કામગીરી બજાવી હતી. આ સ્પાર્ધાના અંતે વિજેતાઓને પ્રોત્સાહક પારિતોષિક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના તમામ શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી.






Latest News