મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં મંદિરે કેમ આવ્યો તેમ કહીને યુવાનને માર માર્યોની ફરીયાદ નોંધાય, વળતી ફરીયાદ પણ નોંધાઇ


SHARE







મોરબીમાં મંદિરે કેમ આવ્યો તેમ કહીને યુવાનને માર માર્યોની ફરીયાદ નોંધાય, વળતી ફરીયાદ પણ નોંધાઇ

મોરબીના લીલાપર રોડ ઉપર મંદિરે જવા બાબતે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં એક પક્ષેથી ચાર લોકોની સામે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે અને જેમાં સામેના પક્ષેથી પણ વળતી ફરિયાદ નોંધાતા સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા ગુના નોંધીને આગળની તપાસ હાથ ધરાઇ છે.

આ બાબતે વધુમાં મળતી માહિતી પ્રમાણે મોરબીના લીલાપર રોડ ઉપર સબજેલ ચોકની સામે આવેલ હનુમાનજી મંદિરની સામે રહેતા જયેશભાઇ હમીરભાઇ ખાંભલા જાતે રબારી (ઉમર ૩૪) નામનો યુવાન તેના ઘર નજીક આવેલ હનુમાનજીના મંદિરે ગયો હતો.ત્યારે મંદિરે રહેલા સામાવાળા વિક્રમભાઇ છગનભાઇ જારીયા જાતે બોરીચા, વિજયભાઇ ભગવાનજીભાઇ જારીયા, છગનભાઇ ટપુભાઇ જારીયા અને જેઠાભાઇ ટપુભાઇ જારીયા રહે.બધા બોરીચાવાસ મોરબી વાળાઓએ "તું અહીં કેમ આવ્યો..?" તેમ કહીને ગાળો આપી ઢીક્કાપાટુ વજે માર માર્યો હતો.તેમજ મંદિરના દરવાજાની બાજુમા આવેલ સીમેંન્ટ બાકળા ઉપર પછાડ્યો હતો.મારામારીના આ બનાવમાં જયેશભાઇ ખાંભલાને નાકના ભાગે ફ્રેક્ચર થઇ ગયુ હતુ.હાલ ચારેયની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરેલ છે.

આ બનાવમાં સામેના પક્ષેથી વિક્રમભાઈ છગનભાઈ જારીયા જાતે બોરીચા (ઉંમર ૪૦) રહે.જેલચોક સામે બોરીચા વાસવાળાએ પણ જયેશ હમીર ખાંભલા જાતે રબારી રહે.જેલચોક વાળાની સામે વળતી ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મંદિરે આવા બાબતે બોલાચાલી ઝઘડો થયો હતો જેમાં સામેવાળાએ તેઓને તથા તેમની સાથેના લોકોને ઢીકાપાટુ વડે માર માર્યો હતો.






Latest News