મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીમાં મંદિરે કેમ આવ્યો તેમ કહીને યુવાનને માર માર્યોની ફરીયાદ નોંધાય, વળતી ફરીયાદ પણ નોંધાઇ


SHARE









મોરબીમાં મંદિરે કેમ આવ્યો તેમ કહીને યુવાનને માર માર્યોની ફરીયાદ નોંધાય, વળતી ફરીયાદ પણ નોંધાઇ

મોરબીના લીલાપર રોડ ઉપર મંદિરે જવા બાબતે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં એક પક્ષેથી ચાર લોકોની સામે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે અને જેમાં સામેના પક્ષેથી પણ વળતી ફરિયાદ નોંધાતા સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા ગુના નોંધીને આગળની તપાસ હાથ ધરાઇ છે.

આ બાબતે વધુમાં મળતી માહિતી પ્રમાણે મોરબીના લીલાપર રોડ ઉપર સબજેલ ચોકની સામે આવેલ હનુમાનજી મંદિરની સામે રહેતા જયેશભાઇ હમીરભાઇ ખાંભલા જાતે રબારી (ઉમર ૩૪) નામનો યુવાન તેના ઘર નજીક આવેલ હનુમાનજીના મંદિરે ગયો હતો.ત્યારે મંદિરે રહેલા સામાવાળા વિક્રમભાઇ છગનભાઇ જારીયા જાતે બોરીચા, વિજયભાઇ ભગવાનજીભાઇ જારીયા, છગનભાઇ ટપુભાઇ જારીયા અને જેઠાભાઇ ટપુભાઇ જારીયા રહે.બધા બોરીચાવાસ મોરબી વાળાઓએ "તું અહીં કેમ આવ્યો..?" તેમ કહીને ગાળો આપી ઢીક્કાપાટુ વજે માર માર્યો હતો.તેમજ મંદિરના દરવાજાની બાજુમા આવેલ સીમેંન્ટ બાકળા ઉપર પછાડ્યો હતો.મારામારીના આ બનાવમાં જયેશભાઇ ખાંભલાને નાકના ભાગે ફ્રેક્ચર થઇ ગયુ હતુ.હાલ ચારેયની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરેલ છે.

આ બનાવમાં સામેના પક્ષેથી વિક્રમભાઈ છગનભાઈ જારીયા જાતે બોરીચા (ઉંમર ૪૦) રહે.જેલચોક સામે બોરીચા વાસવાળાએ પણ જયેશ હમીર ખાંભલા જાતે રબારી રહે.જેલચોક વાળાની સામે વળતી ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મંદિરે આવા બાબતે બોલાચાલી ઝઘડો થયો હતો જેમાં સામેવાળાએ તેઓને તથા તેમની સાથેના લોકોને ઢીકાપાટુ વડે માર માર્યો હતો.






Latest News