મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબીના ત્રિલોકધામ મંદિરે આવતી કાલે મહાઆરતી, હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ અને નીમા દ્વારા કાલે નિઃશુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પનું આયોજન


SHARE













મોરબીના ત્રિલોકધામ મંદિરે આવતી કાલે મહાઆરતી, હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ અને નીમા દ્વારા કાલે નિઃશુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પનું આયોજન

મોરબીના નવલખી રોડ ઉપર આવેલા કુબેરનગર વિસ્તારમાં શ્રી ત્રિલોકધામ મંદિર ખાતે આવતીકાલ તા.૧૧ ને સોમવારના સાંજે ૬:૩૦ કલાકે મહા આરતીનું આયોજન મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ છે જેનો લાભ લેવા સર્વેને યાદીમાં જણાવ્યું છે.તા.૧૧-૯ ને સોમવારના રોજ સાંજે ૬:૩૦ કલાકે શ્રી ત્રિલોકધામ મંદિરને દીવડાઓથી શણગારીને ભવ્યાતી ભવ્ય મહાઆરતી અને દર્શનનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે.જેનો મોરબીની ધર્મપ્રેમી જનતાને લાભ લેવા ભાવભર્યું જાહેર આમત્રણ મંદિર તરફથી પાઠવવામાં આવેલ છે.જેથી જાહેર જનતાને શ્રી ત્રિલોકધામ સેવા આશ્રમ ટ્રસ્ટ દ્વારા સૌને હૃદયપૂર્વક જાહેર આમંત્રણ છે.જેમાં શરણાઇ, ઢોલ-ત્રાસા, નગારા, જેવા વાજિંત્રો દ્વારા સોમવારે સાંજે ૬:૩૦ કલાકે મહાઆરતી યોજવામાં આવશે.તેમ શ્રી ત્રિલોકધામ સેવા આશ્રમ ટ્રસ્ટ વતી પ્રશાંતભાઇ મહેતાએ યાદીમાં જણાવેલ છે.

હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ અને નીમા દ્વારા આવતીકાલે નિઃશુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પનું આયોજન

મોરબીમાં સ્વ.ઉષાબેન રવિચંદ જેસ્વાણીનાં સ્મરણાર્થે અહીંના હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ અને નીમા-મોરબી દ્રારા આવતીકાલે તા.૧૧-૯ ને સોમવારે નિઃશુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.જેમા ૦ થી ૧૨ વર્ષ સુધીના બાળકોના શારીરિક-માનસિક વિકાસ માટે સુવર્ણપ્રાશનના ટીપા પીવડાવવામાં આવશે.તા.૧૧-૯ ને સોમવારે સવારે ૯ થી સાંજે ૬.૩૦ સુધી મહેશ્વરી હોસ્પિટલ, રાજા મેડીકલની બાજુમાં, સાવસર પ્લોટ મેઈન રોડ ખાતે વિનામૂલ્યે સુવર્ણપ્રાશન કેમ્પ યોજાશે.જેમાં નિષ્ણાંત તબીબ ડો.હાર્દિક જેસ્વાણી સેવા આપશે.જન્મથી ૧૨ વર્ષ સુધીનાં બાળકને આ ટીપા પીવડાવી શકાય છે. સુવર્ણપ્રાશનનાં ટીપા દરરોજ પિવડાવવાથી બાળકનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ અને નીમા-મોરબી દ્રારા આગામી સમયમાં પણ આ પ્રકારના કેમ્પોનું આયોજન કરવામાં આવશે તેમ હિતમ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી સાગર રવિચંદ જેસ્વાણીએ યાદીમાં જણાવેલ છે.






Latest News