મોરબી રઘુવંશી યુવક મંડળ આયોજીત સરસ્વતિ સન્માન સમારોહમાં ભાગ લેવા છેલ્લા ચાર દિવસ
મોરબીના શ્રી નાના જડેશ્વરની જગ્યાએ આજ રાતે મંદિર તેમજ ગાયોના ઘાસચારા માટે ભવાઈનો ભવ્ય મજરો યોજાશે
SHARE
મોરબીના શ્રી નાના જડેશ્વરની જગ્યાએ આજ રાતે મંદિર તેમજ ગાયોના ઘાસચારા માટે ભવાઈનો ભવ્ય મજરો યોજાશે
મોરબીના શ્રી નાના જડેશ્વરની જગ્યાએ આજ રાતે મંદિર તેમજ ગાયોના ઘાસચારા માટે ભવાઈનો ભવ્ય મજરો યોજાશે.સર વાઘજી ધર્મશાળા ટ્રસ્ટ સંચાલિત શ્રી નાના જડેશ્વર મંદિર (ગૌશાળા) શ્રી નાના જડેશ્વરની જગ્યાએ આજે તા. ૧૧ ને સોમવારના રોજ ભવાઈનો ભવ્ય મજરો કાર્યક્રમ યોજાશે.</p> <p>શ્રી નાના જડેશ્વર મહાદેવના સાનિધ્યમાં તા.૧૧ ને સોમવારે રાત્રે ભારતભરમાં ખ્યાતનામ અને ઈરાન તેમજ ઇંગ્લેન્ડમાં પણ પોતાની કલા રજુ કરનાર હીરજી કેશવજી સરવડ ભવાઈ મંડળ કે જે મંડળે ૧૧૮ વર્ષ પુરા કરેલ છે ત્યારે દર વર્ષ મુજબ આ વર્ષે પણ મંદિર તેમજ ગાયોના ઘાસચારા માટે ભવાઈનો ભવ્ય મજરો કાર્યક્રમ યોજાશે.તા.૧૧ ને સોમવારે રાત્રે ૯ કલાકે શ્રી નાના જડેશ્વરની જગ્યામાં કાર્યક્રમ ઉજવાશે જેનો ધર્મપ્રેમી જનતાએ લાભ લેવા મહંતે યાદીમાં જણાવેલ છે.</p> <p> </p>