મોરબી રઘુવંશી યુવક મંડળ આયોજીત સરસ્વતિ સન્માન સમારોહમાં ભાગ લેવા છેલ્લા ચાર દિવસ
SHARE
મોરબી રઘુવંશી યુવક મંડળ આયોજીત સરસ્વતિ સન્માન સમારોહમાં ભાગ લેવા છેલ્લા ચાર દિવસ
શ્રી રઘુવંશી યુવક મંડળ મોરબી દ્વારા શ્રી સરસ્વતિ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ છે.લોહાણા જ્ઞાતીના વિદ્યાર્થીઓને ફોમ ભરવા માટે છેલ્લા ચાર દિવસનો સમય હોય તત્કાળ ફોર્મ ભરવા આયોજકોએ યાદીમાં જણાવેલ છે.
શ્રી રઘુવંશી યુવક મંડળ મોરબી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આગામી તા.૨૪-૯ ના રોજ લોહાણા જ્ઞાતીના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા લોહાણા વિદ્યાર્થી ભવન મોરબી ખાતે સરસ્વતિ સન્માન સમારોહનુ આયોજન કરવામાં આવેલ છે.સંસ્થાના પ્રમુખ સંદિપભાઈ ખગ્રામના જણાવ્યા અનુસાર આ કાર્યકમમાં ભાગ લેવા માટે તથા ફોર્મ ભરવા માટેની છેલ્લી તા.૧૪-૯ રાખવામા આવેલ છે.છેલ્લી તારીખ વીતી ગયા બાદ ફોમઁ સ્વીકારવામાં આવશે નહિ તે બાબત ધ્યાનમાં લઇ વિદ્યાર્થીઓએ ત્વરીત ફોમઁ ભરી લે તેમ પ્રમુખે યાદીમાં જણાવે છે.ફોર્મ મેળવવા તથા પરત આપવા માટે મનોજ ઝેરોક્ષ કુબેરનાથ મંદીર વાળી શેરી, દરીયાલાલ આલુ ભંડાર નવા ડેલા રોડ, કેવીન ગેસ સેલ્સ એન્ડ સર્વિસ નવા સ્ટેન્ડની સામે સંપક કરવો.આ સન્માન સમારોહ તા.૨૪-૯ ને રવિવારના રોજ શ્રી લોહાણા વિદ્યાર્થી ભુવન, વસંત પ્લોટ, મોરબી ખાતે યોજવામા આવશે.તથા વધુ માહીતી માટે પ્રમુખ સંદિપભાઈ ખગ્રામ, પરીમલભાઈ ઠકકર, મહામંત્રી તથા પ્રોજેક્ટ ચેરમેન હાર્દિકભાઇ કાથરાણીનો સંપક કરવો.તેમ રઘુવંશી યુવક મંડળે જણાવેલ છે.