મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના અપહરણના ગુનાનો આરોપી ચોટીલાથી પકડાયો


SHARE













વાંકાનેરના અપહરણના ગુનાનો આરોપી ચોટીલાથી પકડાયો


વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં અપહરણના ગુનામાં છેલ્લા પાંચ માસથી ફરાર ઈસમને એલસીબીની એન્ટી હુમન ટ્રાફિકિંગ યુનિટ ટીમે ચોટીલાના આણંદપુર રોડ ઉપર આવેલ શિવધારા સોસાયટીમાંથી ઝડપી પાડયો હતો.મોરબી જીલ્લામાં અપ્હતો તેમજ ગુમ થયેલ લોકોને શોધી કાઢવા માટે જીલ્લામાં એન્ટી હુમન ટ્રાફિકિંગ યુનિટ ટીમ કાર્યરત છે.તેના સ્ટાફને મળેલી બાતમીના આધારે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશને નોંધાયેલ સગીરાના અપહરણમાં સંડોવાયેલ આરોપી સરદાર ગુલો ભૂરીયા હાલ રહે.ચોટીલા આણંદપુર રોડ શિવધારા સોસાયટી વાળો શિવધારા સોસાયટી આણંદપુર રોડ ચોટીલા ખાતે હોય ત્યાંથી અપહરણના ગુનામાં આરોપી સરદાર ભુરીયાને રાઉન્ડ અપ કરીને આગળની તપાસ કાર્યવાહી અર્થે તેને વાંકાનેર સીટી પોલીસ હવાલે કરવામાં આવ્યો છે.આ કામગીરીમાં એન્ટી હુમન ટ્રાફિકિંગ યુનિટના ઇન્ચાર્જ પીઆઈ એન.એ. વસાવા, નંદલાલભાઈ વરમોરા, ફૂલીબેન તરાર, ભરતસિંહ ડાભી, બકુલભાઈ કાસુન્દ્રા વિગેરેએ કરી હતી.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ખેર સામતાણીની વાડીએ રહેતા શાંતિલાલ હર્ષદભાઈ કણજારીયા નામના ૪૦ વર્ષના યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઈજાઓ થતા તેને અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.તે શોભેશ્વર મંદિર ખાતે બાઇક લઈને જતો હતો ત્યારે રસ્તામાં પાડાપુલ નજીક તેનું બાઈક અકસ્માતે સ્લીપ થઈ ગયું હતું.જે બનાવમાં તેને ઇજાઓ થતા સારવારમાં લઈ જવાયો હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે.

બાળકી સારવારમાં

મોરબી તાલુકાના ફાટસર ગામે વાડી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતા પરિવારની સુનીતાબેન વિશાલભાઈ ભીલ નામની ૧૨ વર્ષની સગીરા કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જવાથી તેણીને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવેલ છે ત્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ આ બનાવ સંદર્ભે મોરબી તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવેલ હોવાથી હાલ મોરબી તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા દ્વારા આ બનાવની આગળની તપાસ ચલાવવામાં આવી રહી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે.






Latest News