મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે
Breaking news
Morbi Today

મોરબીના જુના સાદુકળા ગામે બાળવિદુષી રતનબેનની રામદેવ રામાયણ કથાનું આયોજન


SHARE















મોરબીના જુના સાદુકળા ગામે બાળવિદુષી રતનબેનની રામદેવ રામાયણ કથાનું આયોજન

મોરબીના જુના સાદુકળા ગામે શ્રી આધ્ય શકિત માતાજી શકિતધામ જુના સાદુળકા તથા લહેરીયા હનુમાનજી મહારાજના મુખ્ય યજમાન પદે રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીજીના શિષ્યા બાળવિદુષી રતનબેનની રામદેવ રામાયણ કથાનું આયોજન કરાયેલ છે. 

મોરબીના જુના સાદુળકા ગામે આવેલ માઁ શકિત આશ્રમ ખાતે આગામી તા.૧૬-૯ થી ૨૨-૯ સુધી કથાનું આયોજન કરાયેલ છે.આ રામદેવ રામાયણ કથામાં અવિનાશી એવા બાબા રામદેવજી મહારાજની પાવન કથા તેમજ ઇતીહાસના પાનાઓમાં અંકીત થયેલા મહાન અવતારી પુરૂષો, જતી-સતી, સંતો-ભકતો અને શુરવિરોના પાવન ચારિત્ર્યનું બાળ વિદુષી રથાકાર રતનબેન તેમની આગવી છટામાં સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે.કથા દરમિયાન દરોજ બપોરે ૧૨-૩૦ કલાકે તેમજ સાંજે ૭-૩૦ કલાકે મહાપ્રસાદનું પણ આયોજકો તરફથી આયોજન કરવામાં આવેલ છે.


કથા અંતર્ગત તા.૧૬-૯ ને શનિવારે સવારે ૮-૩૦ કલાકે પોથીયાત્રા યોજાશે અને શુભ ચોઘડીયે થાંભલી રોપશે અને થાંભલી વધાવામાં આવશે. રાત્રીના આધ્યા શકિત માતાજીનો નવરંગો માંડવો યોજાશે.જેમાં રાવલદેવ જીજ્ઞેશભાઈ ડાક-ડમરની રમઝટ બોલાવશે.તા. ૧૭ ના રોજ નંદ મહોત્સવ, તા.૧૮-૯ ના રોજ રામદેવજી મહારાજ પ્રાગટય, તા.૧૯ ના રોજ ભૈરવ ઉધ્ધાર અને તા. ૨૦-૯ ના રોજ રામદેવજી મહારાજના વિવાહ, તા.૨૧-૯ ના રોજ પાટનો મહિમા ગત ગંગાના ભકતોની કથા, તા.૨૨-૯ ના રોજ રામદેવજી મહારાજ સમાધી અને કથાનો વિરામ થશે.જયારે કથા દરમિયાન તા. ૧૬ ના રાત્રે ૯-૩૦ કલાકે જય સિતારામ સંપુટ સતસંગ મંડળ નાની વાવડી દ્વારા સત્સંગ યોજાશે, તા.૧૭ ના રાત્રે ૯-૩૦ કલાકે કિરણબેનનો સંતવાણીનો કાર્યક્રમ યોજાશે, તા.૧૮ ના રાત્રે ૯-૩૦ કલાકે સંતવાણી કલાકાર મીતલબેન કલોલા (બેબી મિતલ) ભક્તોને પ્રભુ ભક્તિમાં તરબોળ કરશે અને તા.૨૦ ના રોજ રાત્રે ૯-૩૦ કલાકે ભજન તથા સાહીત્ય કલાકાર અનોપસિંહ વાઘેલા ભક્તિરસની રમઝટ બોલાવશે.જેથી આ કથાનો લાભ લેવા મહંત કનુભા રઘુભા ઝાલા અને રામધન આશ્રમ (મહેન્દ્રનગર-મોરબી) દ્વારા મોરબીવાસીઓને જાહેર આમંત્રણ પાઠવેલ છે.






Latest News