મોરબીના પીપળી રોડ અને લીલાપર રોડેથી સગીરાના અપહરણ કરનારાઓ પકડાયા, જેલ હવાલે મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા 19 અસહાય માતાઓને રાશન કીટ અર્પણ મોરબી સહિત ગુજરાતના પ્રાથમિક શિક્ષકોને શિક્ષણ સિવાય અનેકવિધ કામગીરીઓનું ભારણ વધી જતાં મુંઝવણ અને મુશ્કેલીમાં વધારો મોરબીમાં જેહાદી માનસિકતાના પુતળા દહન કરીને હિંદુ સંગઠનોએ આવેદનપત્ર પાઠવ્યું આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો માળીયા (મી) નજીક ટ્રકમાં સૂતેલા ક્લીનરનું નિદ્રાધીન અવસ્થામાં હાર્ટ એટેકથી મોત આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે મોડી રાત સુધી મોબાઈલ જોતી બહેનને ભાઈએ ઠપકો આપતા કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી નજીક યુવાનને બંને પગ, કમર અને ગુપ્ત ભાગે ઇજા કરીને મોત નિપજાવનારા ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો


SHARE













મોરબી નજીક યુવાનને બંને પગ, કમર અને ગુપ્ત ભાગે ઇજા કરીને મોત નિપજાવનારા ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો

મોરબી નજીકના ટીંબડી ગામના પાટીયા પાસે ટ્રક ચાલકે બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને બાઈક ઉપર જઈ રહેલા યુવાનને બંને પગ, કમર અને ગુપ્ત ભાગે ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું અને અકસ્માત સર્જીને આરોપી પોતાના હવાલા વાળો ટ્રક મૂકીને નાશી ગયેલ હતો જેથી હાલમાં મૃતકના ભાઈ દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ ઇન્દિરાનગરમાં ખોડીયાર માતા ચોક પાસે રહેતા હિતેશભાઈ કરસનભાઈ ચૌહાણ (૨૧)એ હાલમાં ટ્રક નંબર જીજે ૨૧ ડબલ્યુ ૭૭૧૧ ના ચાલક સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના મોટાભાઇ ભાઈ શીવાભાઈ કરસનભાઈ ચૌહાણ (૩૫) પોતાનું બાઈક નંબર જીજે ૩૬ એજી ૮૫૬૨ લઈને મોરબી નજીકના ટિંબડી ગામના પાટીયા પાસે આવેલ સતનામ કાંટા સામેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે તેઓને ટક્કર મારી હતી જેથી કરીને અકસ્માતના બનાવમાં ફરિયાદીના ભાઈ શીવાભાઈને કમર, બંને પગ અને ગુપ્ત ભાગે ગંભીર ઈજા થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું અને આરોપી પોતાનો ટ્રક મૂકીને નાસી ગયો હતો જેથી હાલમાં મૃતક યુવાનના ભાઈ દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ફિનાઇલ પીધું
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રીનગરમાં રહેતા પપ્પુભાઈ પદારીયાભાઈ શહાની (૩૫) નામનો યુવાન પોતે પોતાના ઘરે હતો ત્યારે ત્યાં કોઈ કારણોસર તે ફિનાઇલ પી ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ ફુલતરીયા દ્વારા કરવામાં આવી હતી અને તેમની પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે ટેન્શનના કારણે યુવાન ફિનાઇલ પી ગયો હતો






Latest News