મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

મોરબીમાં પરિણીતાને દીકરા માટે પતિ સહિતના સાસરિયાઓનો ત્રાસ


SHARE









મોરબીમાં પરિણીતાને દીકરા માટે પતિ સહિતના સાસરિયાઓનો ત્રાસ

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સત્યમ પાન વાળી શેરીમાં યદુનંદન-૧૯ શેરી નં-૨ માં રહેતી મહિલાને સંતાનમાં એક દીકરી હોય દીકરા માટે થઈને તેને પતિ સહિતના સાસરિયાંઑ હેરાન પરેશાન કરતાં હતા અને દુખત્રાસ આપતા હતા જેથી કરીને પરણીતા દ્વારા મોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હાલમાં મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા ચાર્મીબેન વિશાલભાઈ રાચ્છ જાતે લોહાણા વિશે મોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ વિશાલભાઈ કિરીટભાઈ રાચ્છ, સસરા કિરીટભાઈ રતિલાલ રાચ્છ, સાસુ મીનાબેન કિરીટભાઈ રાચ્છ રહે. ત્રણેય સત્યમ પાન વાળી શેરી યદુનંદન ૧૯ શેરી નં-૨ તથા નણંદ સોનલબેન વિપુલભાઈ કારીયા રહે. જૈન સોસાયટી આયુષી ૩૧ રામ મંદિરની સામે જામનગર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપીઓ તેને ઘરકામ બાબતે અને કરિયાવર બાબતે મેણાં ટોણાં મારતા હતા અને તેને સંતાનમાં એક દીકરી હોય દીકરા માટે થઈને હેરાન પરેશાન કરી શારીરિક માનસિક ત્રાસ આપતા હતા જે બાબતે હાલમાં નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ઝેરી દવા પીધી
મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ મીતાણા ગામ પાસે વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા ઉદયસિંગ મુન્નાભાઈ નાયકા (૫૦) નામના આધાડે કોઈ કારણોસર વાડીએ હતા ત્યારે ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને પ્રાથમિક તપાસ વિપુલભાઈ ફુલતરીયા દ્વારા કરવામાં આવી હતી જો કે, આ બનાવ ટંકારા તાલુકા પોલીસની હદનો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવામાં આવેલ છે






Latest News