મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં પરિણીતાને દીકરા માટે પતિ સહિતના સાસરિયાઓનો ત્રાસ


SHARE







મોરબીમાં પરિણીતાને દીકરા માટે પતિ સહિતના સાસરિયાઓનો ત્રાસ

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સત્યમ પાન વાળી શેરીમાં યદુનંદન-૧૯ શેરી નં-૨ માં રહેતી મહિલાને સંતાનમાં એક દીકરી હોય દીકરા માટે થઈને તેને પતિ સહિતના સાસરિયાંઑ હેરાન પરેશાન કરતાં હતા અને દુખત્રાસ આપતા હતા જેથી કરીને પરણીતા દ્વારા મોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હાલમાં મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા ચાર્મીબેન વિશાલભાઈ રાચ્છ જાતે લોહાણા વિશે મોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ વિશાલભાઈ કિરીટભાઈ રાચ્છ, સસરા કિરીટભાઈ રતિલાલ રાચ્છ, સાસુ મીનાબેન કિરીટભાઈ રાચ્છ રહે. ત્રણેય સત્યમ પાન વાળી શેરી યદુનંદન ૧૯ શેરી નં-૨ તથા નણંદ સોનલબેન વિપુલભાઈ કારીયા રહે. જૈન સોસાયટી આયુષી ૩૧ રામ મંદિરની સામે જામનગર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપીઓ તેને ઘરકામ બાબતે અને કરિયાવર બાબતે મેણાં ટોણાં મારતા હતા અને તેને સંતાનમાં એક દીકરી હોય દીકરા માટે થઈને હેરાન પરેશાન કરી શારીરિક માનસિક ત્રાસ આપતા હતા જે બાબતે હાલમાં નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ઝેરી દવા પીધી
મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ મીતાણા ગામ પાસે વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા ઉદયસિંગ મુન્નાભાઈ નાયકા (૫૦) નામના આધાડે કોઈ કારણોસર વાડીએ હતા ત્યારે ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને પ્રાથમિક તપાસ વિપુલભાઈ ફુલતરીયા દ્વારા કરવામાં આવી હતી જો કે, આ બનાવ ટંકારા તાલુકા પોલીસની હદનો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવામાં આવેલ છે






Latest News