માળીયા હળવદ હાઇવે રોડ ઉપરથી 6672 બોટલ દારૂ ભરેલ ટ્રક સાથે એક ઝડપાયો, 40.16 લાખનો મુદ્દામાલ કબજે: માલ મોકલાવનાર-મંગાવનાર સહિતનાઓને પકડવા તજવીજ શરૂ ટંકારાના ખાખરા ગામેથી 45 બોટલ દારૂ સાથે એક ઝડપાયો: મોરબીમાંથી દારૂની 7 બોટલ સાથે એક પકડાયો મોરબીમાં આઇપીએલની ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો, એકની શોધખોળ: ફૂલછાબ કોલોનીમાં જાહેરમાં જુગાર રમતા ચાર પકડાયા હળવદના રાયસંગપર ગામ પાસે ડબલ સવારી બાઈક સ્લીપ થતા એકનું મોત: એકને ઇજા મોરબીના સાદુળકા ગામ પાસે નવા બનતા કારખાનામાં તોડફોડ કરીને 3.5 લાખનું નુકસાન: 1.75 લાખના કોપર વાયરની ચોરી મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર કાર ચાલકે બાઈકને હડફેટે લેતા હાથ કપાઈ જવાથી આધેડનું મોત મોરબીના ઘુટુ ગામ નજીક કારખાનામાં ગેરકાયદેસર પ્રવેશ કરનારા શખ્સોને રોકનાર સિક્યુરિટી ગાર્ડ ઉપર ધારદાર પતરા વડે જીવલેણ હુમલો, ચાર સામે ફરિયાદ મોરબી શહેર અને વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના જુદા જુદા બનાવમાં કુલ ત્રણ વ્યક્તિઓના મોત
Breaking news
Morbi Today

મોરબીના મચ્છુ-૨ ડેમમાંથી કેનાલમાં પાણી છોડ્યું: ૨૦ ગામના ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે


SHARE













મોરબીના મચ્છુ-૨ ડેમમાંથી કેનાલમાં પાણી છોડ્યું: ૨૦ ગામના ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે

ચાલુ વર્ષે ચોમાસામાં વરસાદ ખેંચાયો છે જેથી કરીને ખેડૂતોના ખેતરમાં ઉભા પાકને નુકસાન થાય તેવી ભીતિ છે જેથી કરીને ખેડૂતોના પાકને બચાવી શકાય તે માટે નર્મદાની કેનાલો મારફતે કેનાલના કમાન્ડ વિસ્તારમાં આવતા ખેડૂતોના ઉભા પાકને બચાવવા માટે કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે તેવી જ રીતે મોરબી નજીકના સિંચાઈનું પાણી પૂરું પડતાં મચ્છુ-૨ ડેમમાંથી સિંચાઈ માટેનું પાણી કેનાલ મારફતે પાણી છોડવામાં આવ્યું છે અને ખેડૂતોને આ કેનાલ મારફતે વરસાદ ન આવે તો તેના પાકને બચાવવા માટે બે પાણ પાણી આપવામાં આવશે

મોરબી જિલ્લામાં ૧૦ ડેમ આવે છે જે પૈકીના મચ્છુ-૧ મચ્છુ ડેમમચ્છુ-૨ ડેમમાંથી ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી આપવામાં આવતું હોય છે જો કેચાલુ વર્ષે ચોમાસામાં શરૂઆતમાં મેઘ મહેર થઈ હતી પરંતુ ત્યારબાદ છેલ્લા ઘણા દિવસોથી વરસાદનું એક ટીપું પડ્યું નથી જેથી કરીને ખેડૂતોના ખેતરોની અંદર કપાસ મગફળી સહિતના જે પાકનું વાવેતર કરવામાં આવ્યું છે આ પાક બચાવવા મુશ્કેલ બની ગયા છે અને ખેડૂતોના ખેતરમાં ઉભા પાકને સિંચાઈનું પાણી આપવું પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી જેથી કરીને મચ્છુ-૨ ની કેનાલ મારફતે કેનાલના કમાન્ડ વિસ્તારમાં આવતા ખેડૂતોના ખેતરમાં ઉભા પાકને બચાવવા પાણી છોડવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને મચ્છુ-૨ ડેમમાંથી તા ૧૧ ના રોજ રાતના સમયથી કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે જેના થકી સિંચાઇ કરીને કેનાલના કમાન્ડ વિસ્તારમાં આવતા ખેડૂતો સિંચાઈ માટેનું પાણી મેળવીને તેના ખેતરમાં ઊભા પાકને બચાવી શકશે સિંચાઈ વિભાગના અધિકારી સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, ૩૦૦ એમસીએફટી પાણી કેનાલમાં સિંચાઇ માટે છોડવાનું આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને વરસાદ ન આવે તો પણ કેનાલના કમાન્ડ વિસ્તારમાં આવતા ખેડૂતોને કેનાલ મારફતે સિંચાઈ માટેનું બે પાણ પાણી મળી રહેશે હાલમાં મચ્છુ-૨ ડેમમાંથી સિંચાઇ માટે જે પાણી કેનાલમાં છોડવામાં આવ્યું છે તેનાથી મોરબી તાલુકાનાં ૨૦ ગામના ખેડૂતોને લાભ થશે અને તેઓ પોતાના ખેતરોમાં ઊભા પાકને બચાવી શકશે






Latest News