મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીના મચ્છુ-૨ ડેમમાંથી કેનાલમાં પાણી છોડ્યું: ૨૦ ગામના ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે


SHARE















મોરબીના મચ્છુ-૨ ડેમમાંથી કેનાલમાં પાણી છોડ્યું: ૨૦ ગામના ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે

ચાલુ વર્ષે ચોમાસામાં વરસાદ ખેંચાયો છે જેથી કરીને ખેડૂતોના ખેતરમાં ઉભા પાકને નુકસાન થાય તેવી ભીતિ છે જેથી કરીને ખેડૂતોના પાકને બચાવી શકાય તે માટે નર્મદાની કેનાલો મારફતે કેનાલના કમાન્ડ વિસ્તારમાં આવતા ખેડૂતોના ઉભા પાકને બચાવવા માટે કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે તેવી જ રીતે મોરબી નજીકના સિંચાઈનું પાણી પૂરું પડતાં મચ્છુ-૨ ડેમમાંથી સિંચાઈ માટેનું પાણી કેનાલ મારફતે પાણી છોડવામાં આવ્યું છે અને ખેડૂતોને આ કેનાલ મારફતે વરસાદ ન આવે તો તેના પાકને બચાવવા માટે બે પાણ પાણી આપવામાં આવશે

મોરબી જિલ્લામાં ૧૦ ડેમ આવે છે જે પૈકીના મચ્છુ-૧ મચ્છુ ડેમમચ્છુ-૨ ડેમમાંથી ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી આપવામાં આવતું હોય છે જો કેચાલુ વર્ષે ચોમાસામાં શરૂઆતમાં મેઘ મહેર થઈ હતી પરંતુ ત્યારબાદ છેલ્લા ઘણા દિવસોથી વરસાદનું એક ટીપું પડ્યું નથી જેથી કરીને ખેડૂતોના ખેતરોની અંદર કપાસ મગફળી સહિતના જે પાકનું વાવેતર કરવામાં આવ્યું છે આ પાક બચાવવા મુશ્કેલ બની ગયા છે અને ખેડૂતોના ખેતરમાં ઉભા પાકને સિંચાઈનું પાણી આપવું પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી જેથી કરીને મચ્છુ-૨ ની કેનાલ મારફતે કેનાલના કમાન્ડ વિસ્તારમાં આવતા ખેડૂતોના ખેતરમાં ઉભા પાકને બચાવવા પાણી છોડવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને મચ્છુ-૨ ડેમમાંથી તા ૧૧ ના રોજ રાતના સમયથી કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે જેના થકી સિંચાઇ કરીને કેનાલના કમાન્ડ વિસ્તારમાં આવતા ખેડૂતો સિંચાઈ માટેનું પાણી મેળવીને તેના ખેતરમાં ઊભા પાકને બચાવી શકશે સિંચાઈ વિભાગના અધિકારી સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, ૩૦૦ એમસીએફટી પાણી કેનાલમાં સિંચાઇ માટે છોડવાનું આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને વરસાદ ન આવે તો પણ કેનાલના કમાન્ડ વિસ્તારમાં આવતા ખેડૂતોને કેનાલ મારફતે સિંચાઈ માટેનું બે પાણ પાણી મળી રહેશે હાલમાં મચ્છુ-૨ ડેમમાંથી સિંચાઇ માટે જે પાણી કેનાલમાં છોડવામાં આવ્યું છે તેનાથી મોરબી તાલુકાનાં ૨૦ ગામના ખેડૂતોને લાભ થશે અને તેઓ પોતાના ખેતરોમાં ઊભા પાકને બચાવી શકશે






Latest News