મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં મંદિરે કેમ આવ્યો તેવું કહીને યુવાનને માર મારનારા ચારેય આરોપીઓની ધરપકડ


SHARE







મોરબીમાં મંદિરે કેમ આવ્યો તેવું કહીને યુવાનને માર મારનારા ચારેય આરોપીઓની ધરપકડ

મોરબીના લીલાપર રોડ ઉપર મંદિરે જવા બાબતે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ઇજા પામેલા યુવાને ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધરે સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા બે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના લીલાપર રોડ ઉપર સબજેલ ચોકની સામે આવેલ હનુમાનજી મંદિરની સામે રહેતા જયેશભાઇ હમીરભાઇ ખાંભલા જાતે રબારી (૩૪) નામનો યુવાન તેના ઘર નજીક આવેલ હનુમાનજીના મંદિરે ગયો હતો. ત્યારે મંદિરે રહેતા વિક્રમભાઇ છગનભાઇ જારીયા જાતે બોરીચાવિજયભાઇ ભગવાનજીભાઇ જારીયાછગનભાઇ ટપુભાઇ જારીયા અને જેઠાભાઇ ટપુભાઇ જારીયા રહે. બધા બોરીચાવાસ મોરબી વાળાઓએ "તું અહીં કેમ આવ્યો..?" તેમ કહીને ગાળો આપી ઢીક્કાપાટુનો માર માર્યો હતો. તેમજ મંદિરના દરવાજાની બાજુમા આવેલ સીમેંન્ટ બાકળા ઉપર પછાડ્યો હતો. જેથી કરીને યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં આ ગુનામાં વિક્રમભાઇ છગનભાઇ જારીયા જાતે બોરીચા (૪૦) અને વિજયભાઇ ભગવાનજીભાઇ જારીયા જાતે બોરિચા (૪૨) છગનભાઇ ટપુભાઇ જારીયા જાતે બોરીચા (૭૭) અને જેઠાભાઇ ટપુભાઇ જારીયા જાતે બોરીચા (૬૫) રહે. બધા બોરીચાવાસ મોરબી વાળાની ધરપકડ કરેલ છે

ઝેરી દવા પીધી

મોરબીના નજરબાગ રેલવે સ્ટેશનથી આગળના ભાગમાં ભડીયાદ રોડ ઉપર આવેલ જંગલેશ્વર વિસ્તારમાં રહેતા દક્ષાબેન જયદીપભાઇ ડાભી (૨૫) નામની મહિલાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળ વધુ તપાસ વી.કે. ચાવડા ચલાવી રહ્યા છે






Latest News