મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં ‘સહકાર પ્રતિજ્ઞા દિવસ’ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

ખોડિયાર માતાજી વિષે ટિપ્પણી કરનારા સ્વામિનારાયણ સંત માફી માંગે: મોરબીના સંતો-મહંતોની માંગ


SHARE









ખોડિયાર માતાજી વિષે ટિપ્પણી કરનારા સ્વામિનારાયણ સંત માફી માંગે: મોરબીના સંતો-મહંતોની માંગ

સ્વામિનારાયણ સંપ્રદાયના સંત દ્વારા ખોડીયાર માતાજી વિશે જે ટિપ્પણી કરવામાં આવી હતી તેને લઈને ખોડિયાર માતાજીના ભક્તોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લામાં આવતા માટેલ ખોડીયાર ધામના મહંત સહિતના સંતો, મહંતો અને ખોડીયાર ભક્તો દ્વારા આજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામા આવ્યું હતું અને સ્વામી નારાયણ સંપ્રદાયના સંત દ્વારા માફી માંગવામાં આવે અને તે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરે તેવી માંગ કરવામાં આવી છે

છેલ્લા ઘણા સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો કોઈને કોઈ વિવાદમાં રહે છે થોડા સમય પહેલા સાળંગપુર હનુમાનજી મંદિરનો વિવાદ હતો. ત્યાર પહેલા પણ સનાતન ધર્મના હિન્દુ દેવી-દેવતાઓ વિશે ટિપ્પણી કરવામાં આવી હતી અને તાજેતરમાં જ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલ છે જેમાં સ્વામીને સંપ્રદાયના સંત દ્વારા ખોડીયાર માતાજી વિશે જે ટિપ્પણી કરવામાં આવી રહી છે તેને શખ્ત શબ્દોમાં મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવતા માટેલ ખોડીયાર ધામના મહંત સહિતના ખોડીયાર ભક્તો દ્વારા વખોડી કાઢવામાં આવેલ છે અને ખોડીયાર ધામના મહંત ચેતન બાપુ તેમજ મોરબી નજીકના રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી માતાજી સહિતના સંતો-મહંતો તેમજ ખોડીયાર ભક્તો દ્વારા મોરબીમાં કલેક્ટર કચેરી ખાતે જઈને ત્યાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતું અને સ્વામીને સંપ્રદાયના જે સંત દ્વારા ખોડીયાર માતાજી વિશે ટિપ્પણી કરવામાં આવી છે તેની સામે કાર્યવાહી કરવામાં આવે અને તે સંત દ્વારા માફી માંગતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવે તેવી માંગણી કરેલ છે






Latest News