મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

ટંકારામાં ઢોર ચરાવવા બાબતે બોલાચાલી બાદ મારા મારી: સામસામી ફરિયાદ


SHARE













ટંકારામાં ઢોર ચરાવવા બાબતે બોલાચાલી બાદ મારા મારી: સામસામી ફરિયાદ

ટંકારા તાલુકાના જુના હડમતીયા રોડ ઉપર દેવીપુજક વાસ પાસે યુવાનને રોકીને માલઢોર ચરાવવા બાબતે તેની સાથે બોલાચાલી કરી હતી અને ત્યારબાદ મારામારી થઈ હતી જે બનાવમાં બંને પક્ષેથી ઇજાઓ થઈ હોવાથી ઇજાગ્રસ્તોને સારવાર માટે લઈને ગયા હતા અને સારવાર લીધા બાદ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષેથી સામસામી ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે જુદા જુદા બે ગુના નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ ટંકારાના ઉગમણા નાકા પાસે આવેલ ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા પ્રવીણભાઈ ભગવાનજીભાઈ ખોખાણી જાતે પટેલ (૪૨)એ હાલમાં રોહિતભાઈ સિંધાભાઈ ભરવાડની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તે પોતાનું બાઈક લઈને વાડીએથી ઘર તરફ જતો હતો ત્યારે તેને જુના હડમતીયા રોડ ઉપર દેવીપુજક વાસ પાસે આરોપીએ રોકીને પોતાના માલ ઢોર ચરાવતા માણસોને કેમ માલ ઢોર ચરાવવાની ના પાડે છે તેમ કહીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ત્યારબાદ ડાબા હાથની આંગળી ઉપર અને ખભા ઉપર લાકડી વડે માર માર્યો હતો જેથી ફરિયાદીને ટચલી આંગળીમાં ફેક્ચર જેવી ઈજા થઈ હતી તેમજ યુવાનને ધ્યાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે તો સામાપક્ષેથી આ બનાવમાં રોહિતભાઈ સિંધાભાઈ ટોડીયા જાતે ભરવાડ (૨૪) રહે. ટંકારા વાળાએ પ્રવીણભાઈ ભગવાનજીભાઈ ખોખાણી સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યૂ છે કે તેઓ તથા સાહેદ સાહિલે આરોપીની વાડીમાં તેમના માલ ઢોર ચરાવેલ ન હોય તેમ છતાં તેનું નામ દેતા હોવાથી ફરિયાદી આરોપીને સમજાવવા માટે ગયા હતા અને ત્યારે આરોપીએ જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ગાળો આપવાની ના પાડતા લાકડી વડે વાસામાં ભાગે ફરિયાદીને માર માર્યો હતો અને ત્યારે સાહેદ વચ્ચે પડતા તેને કપાળના ભાગે માર મારતા ફૂટ જેવી ઈજા થઈ ગઈ હતી અને મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને હાલમાં આ બનાવમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનને સામસામી ફરિયાદ નોંધાતા પોલીસે ગુના નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News