મોરબીના બેલા પાસેથી શંકાસ્પદ બાઇક સાથે મળેલ શખ્સ પાસે રહેલ બાઇક ચોરાઉ હોવાનું ખૂલ્યું
SHARE
મોરબીના બેલા પાસેથી શંકાસ્પદ બાઇક સાથે મળેલ શખ્સ પાસે રહેલ બાઇક ચોરાઉ હોવાનું ખૂલ્યું
મોરબી તાલુકા પોલીસે શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સને પકડાયો હતો જેની તપાસ દરમ્યાન તેની પાસેથી મળી આવેલ બાઇક ચોરાઉ હોવાનું સામે આવ્યું હતી જેથી મોરબીના વાવડી રોડ ઉપર આવેલ કારીયા સોસાયટીમાં રહેતા યુવાને હાલમાં બાઈક ચોરીની એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી વિગત મુજબ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ કારીયા સોસાયટી ખાતે રામદેવપીરના મંદિર પાસે રહેતા હનીફભાઈ હુસેનભાઇ સોલંકી જાતે ઘાંચી (૪૫)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્ય શખ્સની સામે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તમે જણાવ્યુ છે કે, તેનું બાઇક નંબર જીજે ૩૬ કે ૩૩૬૪ લઈને તેનો ભાણેજ મોરબી શહેરમાં આવ્યો હતો અને નગર દરવાજા ચોકની બાજુમાં આવેલ નાસ્તા ગલીમાં તે તેના મિત્રો સાથે ગયો હતો ત્યારે ત્યાં તેને બાઈકને લોક કરીને પાર્ક કર્યું હતું જો કે તે બાઈકની કોઈ અજાણ્ય શખ્સ દ્વારા ચોરી કરવામાં આવી હતી જેથી ૨૦,૦૦૦ ની કિંમતના બાઈકની ચોરી થઈ હોવાની હનીફભાઈ સોલંકી દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અત્રે ઉલેખનીય છે કે, મોરબીના બેલા પાસેથી આ ચોરાઉ બાઇક લઈને બે દિવસ પહેલા કાલૂ જાલમસિંગ દેવધા જાતે ભીલ આદિવાસી (૨૪) રહે, ધર્મ મંગલ સોસાયટી, મકનસર વાળાને શંકાસ્પદ હાલતમાં પકડાયો હતો ત્યાર બાદ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ચોરીનો ગુનો નોંધાયેલ છે
મારામારીમાં ઇજા
મોરબી નજીકના રફાળેશ્વર પાસે આવેલ મચ્છુનગર વિસ્તારમાં રહેતા ભાવનાબેન સુનિલભાઈ વરાણીયા અને સુનિલભાઈ ભગવાનજીભાઈ વરાણીયાને મારામારીના બનાવમાં ઇજા થયેલ હતી જેથી કરીને તે બંનેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એ.એમ. જાપડીયા કરી રહ્યા છે
મારામારીમાં ઇજા
મોરબી તાલુકાના મકનસર ગામે રહેતા રામજીભાઈ તુલભાઈ દેવીપુજકને મારામારીના બનાવવામાં ઈજા થતી હતી જેથી સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને બનવાની જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
મારામારી
મોરબી નજીકના નાગડાવાસ ગામે રહેતા જીતેશભાઈ ભવનભાઈ ધ્રાંગા (૪૩)ને હકાભાઇ તથા બાબુભાઈ વિગેરેએ માર માર્યો હતો જેથી કરીને મોઢા અને માથાના ભાગે ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે જેતપરના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળ વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જે.બી.પરમાર ચલાવી રહ્યા છે