મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન વાંકાનેરના વઘાસિયા ટોલનાકા ઉપર સ્ટાફ સાથે ઝઘડો કરીને ટોલ ભર્યા વગર વાહન કઢાવીને ધમકી આપનાર બે શખ્સો સામે ફરિયાદ ટંકારાના વીરપર પાસે અકસ્માત: ક્રેટા ગાડીના ચાલકે રિક્ષાને હડફેટે લેતા યુવાનનું મોત મોરબીની માળિયા ફાટક ચોકડીએ ટ્રક કન્ટેનરના ચાલકે એકટીવાને કચડી નાખ્યું: ઇજા પામેલ મહિલા સારવારમાં માળીયા (મી) નજીક રોડ ક્રોસ કરતાં માતા-પુત્રને આઇસરના ચાલકે હડફેટે લેતા મહિલાનું મોત: દીકરાનો પગ કપવો પડ્યો મોરબીના વિદ્યુતનગરમાં મહિલાએ અકળ કારણોસર જીવન ટૂંકાવ્યું મોરબીની અવની ચોકડીએ એપાર્ટમેન્ટની અગાસીએ કપડાં સુકવતા સમયે નીચે પટકાતાં વૃદ્ધાનું મોત
Breaking news
Morbi Today

હળવદ પોલીસે હત્યાના ગુનામાં પકડેલા આરોપીએ લોકઅપના શૌચાલયમા કર્યો આપઘાત


SHARE











હળવદ પોલીસે હત્યાના ગુનામાં પકડેલા આરોપીએ લોકઅપના શૌચાલયમા કર્યો આપઘાત

મોરબી જિલ્લાના હળવદ પોલીસે સ્ટેશનમાં દીઘડિયા ગામે ભાઈની હત્યાના ગુનામાં થોડા દિવસો પહેલા પકડાયેલા આરોપીએ ગત રાત્રિના સમયે શૌચાલયમા આપઘાત કર્યો છે જેથી કરીને હાલમાં હાલમાં ડીવાયએસપી સહિતના અધિકારીઑ હળવદ પોલીસ સ્ટેશને પહોચ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

મોરબી જિલ્લાના હળવદ તાલુકાનાં દિઘડીયા ગામની સીમમાં રહેતા મૂળ ચિત્રોડી ગામના રહેવાસી મુકેશભાઈ કુકાભાઈ સારલા (૩૫) ની તેના જ બે સગાભાઈ રઘાભાઈ કુકાભાઈ સારલા અને મુન્નાભાઈ કુકાભાઈ સારલાએ ખેતરમાં સિચાઇ માટે પાણી લાવે બાબતે બોલાચાલી કરીને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકિને હત્યા કરવામાં આવી હતી આ ઘટનામાં મૃતકના પત્ની દક્ષાબેને ફરીયાદ નોંધાવી હતી કે, રઘાભાઈમૃતક મુકેશભાઈ અને મુન્નાભાઈ ત્રણ સગાભાઇ છે અને તેઓની વડીલોપાર્જિત ૧૫ વીઘા જમીનમાંથી ત્રણેય ભાઈઓને પાંચ પાંચ વીઘા જમીન ભાગમાં આવેલ છે જો કેવીજ કનેક્શન એક જ હોવાથી મોટરથી સિંચાઇ માટે પાણી લેવા બાબતે ત્રણેય ભાઇઓની વચ્ચે બોલાચાલી થઈ હતી. અને રઘાભાઈ કુકાભાઈ સારલા અને મુન્નાભાઈ કુકાભાઈ સારલાએ તીક્ષ્ણ હથિયાર વડે મુકેશભાઇ ઉપર હુમલો કર્યો હતો જેમાં મુકેશભાઇની હત્યા થયેલ હતી આ ગુનામાં પોલીસે થોડા દિવસો પહેલા મુન્નાભાઈ કુકાભાઈ સારલાની ધરપકડ કરી હતી અને તે હળવદ પોલીસ સ્ટેશનના લોકઅપમાં હતો દરમ્યાન તેને ત્યાં શૌચાલયમા ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધે છે જેથી કરીને હાલમાં ડીવાયએસપી સહિતના અધિકારીઓ હળવદ પોલીસ સ્ટેશને પહોચ્યા છે






Latest News