વાંકાનેર પાલિકાના સફાઈ કામદારોએ પડતર પ્રશ્નો ઉકેલવા રેલી યોજી આવેદનપત્ર આપ્યું
Morbi Today
મોરબીની માધાપરવાડી કુમાર શાળામાં ગણેશોત્સવની ગરિમામયી ઉજવણી
SHARE
મોરબીની માધાપરવાડી કુમાર શાળામાં ગણેશોત્સવની ગરિમામયી ઉજવણી
મોરબીની માધાપરવાડી કુમાર શાળાના ૩૫૦ જેટલા વિદ્યાર્થીઓએ મારી માટી મારા ગણપતિ ના ભાવ સાથે સ્વ હસ્તે સુંદર મજાની,મસ્ત મજાની કલાત્મક ગણેશજીની મૂર્તિ બનાવી હતી અને એક બાળકે હૂબહૂ ગણેશજી જેવી વેશભૂષા ધારણ કરી હતી અને ગણેશજીની જેમ પાટલા પર સ્થાન ગ્રહણ કર્યું હતું અને તમામ વિદ્યાર્થીઓએ અને શિક્ષકોએ નાચ ગાન સાથે ગણેશોત્સવની ઉજવણી કરી હતી આ ઉજવણીમાં શાળાના આચાર્ય તુષારભાઈ બોપલીયાના પ્રેરક માર્ગદર્શન હેઠળ તમામ શિક્ષક ભાઈઓ બહેનો પણ બાળક સાથે બાળક જેવા બની વિઘ્નહર્તા દુંદાળા ગણપતિના ગુણગાન ગાવા જોડાયા હતા.









