મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ મોરબીમાં ભાજપ સાથે 32 વર્ષથી જોડાયેલ આગેવાને પક્ષમાંથી આપ્યું રાજીનામુ
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામે યોજાયેલા મેળામાંથી મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધાઈ


SHARE













મોરબીના રફાળેશ્વર ગામે યોજાયેલા મેળામાંથી મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધાઈ

મોરબી નજીકના રફાળેશ્વર ગામે થોડા સમય પહેલા મેળો યોજાયો હતો તે મેળામાં મોબાઈલ ફોનની ચોરી થઈ હતી જે બનાવની હાલમાં યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મોબાઇલ ચોરીની ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે અજાણ્ય શખ્સની સામે ગુનો નોંધી તેને પકડવા માટે હાલમાં તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના કોઠી ગામે રહેતા સંજયભાઈ રસિકભાઈ તલસાણીયા જાતે સુથાર (૩૦) અજાણ્યા શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, થોડા દિવસો પહેલા મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે મહાદેવ મંદિરની બાજુમાં મેળો યોજાયો હતો જેમાં તે આવ્યો હતો અને મેળાના ગ્રાઉન્ડ ખાતેથી તેના મોબાઈલની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ઓપો કંપનીના ૫૦૦૦  રૂપિયાની કિંમતના મોબાઈલ ફોનની ચોરી થઈ હોવાની હાલમાં ભોગ બનેલા યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News