મોરબીના વીરપરડા પાસે અજાણી કારના ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા રાહદારી યુવાનનું મોત
મોરબીના રવાપર રોડે અકસ્માત સર્જીને મહિલાનું મોત નિપજાવનારા કાર ચાલક સામે ગુનો નોંધાયો
SHARE
મોરબીના રવાપર રોડે અકસ્માત સર્જીને મહિલાનું મોત નિપજાવનારા કાર ચાલક સામે ગુનો નોંધાયો
મોરબીના રવાપર રોડ ઉપર નરસંગ ટેકરી મંદિર પાસેથી પસાર થતા આધેડ મહિલાને હડફેટે લઈને કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો જે બનાવમાં ઇજા પામેલ મહિલાને મોરબીથી રાજકોટ સુધી સારવાર માટે લઈ ગયા હતા ત્યાં સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજયું હતું જે બનાવમાં હાલમાં મૃત્યુ પામેલા મહિલાના દીકરાએ કારચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બનાવની જાણમાં મળતી માહિતી મુજબ મૂળ મોરબીના કાલિકા પ્લોટ શેરી નં-૪ માં સતવારા બોર્ડિંગ પાછળ રહેતા અને હાલમાં વાંકાનેરના પેડક વાળી વિસ્તાર ગાત્રાળ માતા વાળો રોડ સરકારી હોસ્પિટલ પાછળ રહેતા લાલજીભાઈ નોઘાભાઈ સોલંકી જાતે ભીલ (૩૩)એ કાર નંબર જીજે ૩૬ એસી ૧૯૪૮ ના ચાલક સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા તેમના માતા સામુબેન નોંઘાભાઈ સોલંકી જાતે ભીલ (૫૫) રજકો (લીલું) વેચવા માટે નરસંગ ટેકરી મંદિર તરફ જઈ રહ્યા હતા ત્યારે ત્યાં રસ્તામાં કાર ચાલકે તેઓને હડફેટે લીધા હતા જેથી કરીને ફરિયાદીની માતાને માથામાં ગંભીર ઈજા થઈ હોવાથી તેને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલે લઈ ગયા હતા ત્યાં સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજયું હતું અને જેથી હાલમાં મૃતક મહિલાના દીકરાએ કાર ચાલક સામે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે









