હળવદના મયુરનગર ગામે પ્રેમી પંખીડાએ ઝાડ સાથે ચુંદડી બાંધીને જીવન ટૂંકાવ્યું
નવલખીના દરિયામાં મોજુ આવતા નમી ગયેલા બાજમાંથી પાણીમાં પડેલા બે યુવાનના મોત
SHARE
નવલખીના દરિયામાં મોજુ આવતા નમી ગયેલા બાજમાંથી પાણીમાં પડેલા બે યુવાનના મોત
મોરબીના નવલખી બંદરે જેટી ઉપર કોલસો લાવવા તથા લઈ જવા માટે થઈને બાજ (નાના શીપ)નો ઉપયોગ કરવામાં આવતો હોય છે આવું જ એક બાજ દરિયામાં પાણીનું મોજુ આવતા નમી ગયું હતું જેથી કરીને બાજમાં રહેલા બે યુવાન દરિયાના પાણીમાં પડ્યા હતા અને પાણીમાં ડૂબી જવાના કારણે તે બંનેના મોત નીપજયાં હતા જેથી કરીને બંનેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે મોરબીની સિવિલ હોસ્પિટલ મારફતે માળિયા મીયાણા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ બિહારના શિવદહતાના રહેવાસી અને હાલમાં હોલી ટ્રિનીતિ બાજુમાં નવલખી ખાતે રહેતા સંજયસિંહ રાજેન્દ્રસિંહ રાજપુત (૨૩) અને રવીન્દ્રકુમાર સત્યદેવ યાદવ (૨૨) બંનેનું નવલખીના દરિયાના પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે જેથી કરીને આ બનાવ સંદર્ભે મોરબી સરકારી હોસ્પિટલ મારફતે માળિયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને હાલમાં જાણવા મળતી વિગત પ્રમાણે સંજયસિંહ અને રવીન્દ્રકુમાર નવલખીના દરિયામાં આવતા મોટા સીપમાંથી કોલસો સહિત વિગેરે માલ સામાનને જેટી સુધી લાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા બાજ (નાના શિપ)માં હતા ત્યારે દરિયામાં પાણીનું મોજુ આવતા બાજ દરિયામાં નમી ગયું હતું જેથી તે બંને દરિયાના પાણીમાં પડ્યા હતા અને ડૂબી જવાના કારણે તે બંનેના મોત નીપજયાં છે જેથી આ બનાવની માળિયા મીયાણા તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ હેડ કોસ્ટેબલ આર.એમ.ગરચર ચલાવી રહ્યા છે