નવલખીના દરિયામાં મોજુ આવતા નમી ગયેલા બાજમાંથી પાણીમાં પડેલા બે યુવાનના મોત
માળીયા (મી)ના વેજલપર ગામે વાડીમાં ઝેરી દવા પી ગયેલા મહિલાનુ સારવારમાં મોત
SHARE
માળીયા (મી)ના વેજલપર ગામે વાડીમાં ઝેરી દવા પી ગયેલા મહિલાનુ સારવારમાં મોત
માળીયા મીયાણા તાલુકાના વેજલપર ગામે વાડીમાં રહેતી અને ત્યાં મજૂરી કામ કરતી મહિલાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબી લઈને આવ્યા હતા ત્યારે સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતુ જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે માળિયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ છોટા ઉદેપુરના પીપરવાળી રહેવાસી અને હાલમાં માળિયા મીયાણા તાલુકાના વેજલપર ગામે બાબુલાલ જાદવજી સંઘાણી જાતે પટેલની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા રાજુભાઈ ઉર્ફે રાકેશભાઈ કેમાભાઈ ભીલના પત્ની રંગીતાબેન ભીલ (૧૯) વાડીએ હતા ત્યારે ત્યાં કોઈ કારણોસર તેને ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું જેથી કરીને આપઘાતના આ બનાવની મોરબી સિવિલ હોસ્પિટલ મારફતે માળિયાની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસમાં મહિલાનો લગ્ન ગાળો પાંચ મહિનાનો હોવાનું સામે આવ્યું છે જોકે, તેને કયા કારણોસર આપઘાત કરેલ છે તે દિશામાં હવે આગળની તપાસ માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન.એમ. ગઢવી ચલાવી રહ્યા છે