મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વેજલપર ગામે વાડીમાં ઝેરી દવા પી ગયેલા મહિલાનુ સારવારમાં મોત


SHARE









માળીયા (મી)ના વેજલપર ગામે વાડીમાં ઝેરી દવા પી ગયેલા મહિલાનુ સારવારમાં મોત

માળીયા મીયાણા તાલુકાના વેજલપર ગામે વાડીમાં રહેતી અને ત્યાં મજૂરી કામ કરતી મહિલાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબી લઈને આવ્યા હતા ત્યારે સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતુ જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે માળિયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ છોટા ઉદેપુરના પીપરવાળી રહેવાસી અને હાલમાં માળિયા મીયાણા તાલુકાના વેજલપર ગામે બાબુલાલ જાદવજી સંઘાણી જાતે પટેલની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા રાજુભાઈ ઉર્ફે રાકેશભાઈ કેમાભાઈ ભીલના પત્ની રંગીતાબેન ભીલ (૧૯) વાડીએ હતા ત્યારે ત્યાં કોઈ કારણોસર તેને ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું જેથી કરીને આપઘાતના આ બનાવની મોરબી સિવિલ હોસ્પિટલ મારફતે માળિયાની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસમાં મહિલાનો લગ્ન ગાળો પાંચ મહિનાનો હોવાનું સામે આવ્યું છે જોકે, તેને કયા કારણોસર આપઘાત કરેલ છે તે દિશામાં હવે આગળની તપાસ માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન.એમ. ગઢવી ચલાવી રહ્યા છે






Latest News