માળીયા (મી)નાવવાણિયા ગામેસ્મશાનમાં મૂકવામાંઆવલે દેવી-દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરનાર સામે આકરા પગલાં લેવાની માંગ મોરબીમાં આર્થિક શક્તિ અને વૈશ્વિક નેતૃત્વ વિષય પર વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અંતર્ગત વાર્તાલાપ યોજાયો મોરબીમાં શ્રાવણ માસના બીજા સોમવારે ગૌરક્ષકો દ્વારા કતલખાને લઈ જવાતા 29 અબોલ જીવને બચાવવામાં આવ્યા મોરબીના વોર્ડ નં 7 માં પ્રાથમિક સમસ્યાઓ ઉકેલવા માટે ચૂંટાયેલા સભ્યે કરી કમિશ્નરને લેખિતમાં રજૂઆત હળવદ તાલુકામાં બિનઅધિકૃત રેતી ખનન: 40 લાખનું એક્ષકેવેટર મશીન સીઝ મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વેજલપર ગામે વાડીમાં ઝેરી દવા પી ગયેલા મહિલાનુ સારવારમાં મોત


SHARE







માળીયા (મી)ના વેજલપર ગામે વાડીમાં ઝેરી દવા પી ગયેલા મહિલાનુ સારવારમાં મોત

માળીયા મીયાણા તાલુકાના વેજલપર ગામે વાડીમાં રહેતી અને ત્યાં મજૂરી કામ કરતી મહિલાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબી લઈને આવ્યા હતા ત્યારે સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતુ જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે માળિયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ છોટા ઉદેપુરના પીપરવાળી રહેવાસી અને હાલમાં માળિયા મીયાણા તાલુકાના વેજલપર ગામે બાબુલાલ જાદવજી સંઘાણી જાતે પટેલની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા રાજુભાઈ ઉર્ફે રાકેશભાઈ કેમાભાઈ ભીલના પત્ની રંગીતાબેન ભીલ (૧૯) વાડીએ હતા ત્યારે ત્યાં કોઈ કારણોસર તેને ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું જેથી કરીને આપઘાતના આ બનાવની મોરબી સિવિલ હોસ્પિટલ મારફતે માળિયાની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસમાં મહિલાનો લગ્ન ગાળો પાંચ મહિનાનો હોવાનું સામે આવ્યું છે જોકે, તેને કયા કારણોસર આપઘાત કરેલ છે તે દિશામાં હવે આગળની તપાસ માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન.એમ. ગઢવી ચલાવી રહ્યા છે




Latest News