મોરબી નજીક કાર-રિક્ષા સર્જાયેલ થયેલા અકસ્માતના બનાવમાં ગુનો નોંધાયો
SHARE
મોરબી નજીક કાર-રિક્ષા સર્જાયેલ થયેલા અકસ્માતના બનાવમાં ગુનો નોંધાયો
મોરબીના મકરાણીવાસ અને કબીર ટેકરીમાંથી લોકો રિક્ષામાં બેસીને મોરબી તાલુકાના જીંજુડા ગામે દરગાહે દર્શન કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે મોરબીના જેપુર નજીક કાર અને રિક્ષા વચ્ચે અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં રિક્ષામાં બેઠેલા છ વ્યક્તિને ઇજા થતાં સારવારમાં લઈ ગયા હતા અને આ બનાવમાં હાલમાં કાર ચાલક સામે ઇજાગ્રસ્ત યુવતીએ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના મકરાણીવાસ અને કબીર ટેકરી વિસ્તારમાં રહેતા લોકો રિક્ષામાં બેસીને મોરબી તાલુકાના જીંજુડા ગામે આવેલ દરગાહે દર્શન કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ જેપુર ગામ પાસે ત્રિમંદિર નજીક કાર અને રિક્ષા વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતમાં રીક્ષામાં બેઠેલા ૬ જેટલા વ્યક્તિઓને ઇજાઓ થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત હાલતમાં તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ સાથે લઈને આવ્યા હતા અને જે વ્યક્તિઓને ઈજા થઈ હતી તેમાં મોહિત મુસાભાઇ અજમેરી (૨૩), રેહાન આરીફભાઇ અજમેરી (૧૮), આરજુ અસલમભાઈ અજમેરી (૧૪), મુસ્કાન યાસીન અજમેરી (૧૫) મેરુજા યાસીન અજમેરી (૧૬) અને શેરબાનુ યાસીનભાઈ અજમેરી (૧૮) રહે. બધા મોરબી વાળાને ઇજાઓ થઈ હતી જેથી કરીને તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં શેરબાનું યુસુફભાઈ અજમેરી જાતે-પિંજારા (૧૮)એ કાર નંબર જીજે ૩૬ એલ ૦૮૩૬ ના ચાલકની સામે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આગળની વધુ તપાસ એમ.એલ. બારૈયા ચલાવી રહ્યા છે