ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ આયોજકો દ્વારા મોરબી પરશુરામ યુવા ગ્રુપ અને સમસ્ત બ્રહ્મસમાજના આગેવાનોનું સન્માન


SHARE













મોરબી સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ આયોજકો દ્વારા મોરબી પરશુરામ યુવા ગ્રુપ અને સમસ્ત બ્રહ્મસમાજના આગેવાનોનું સન્માન
 
મોરબી પરશુરામ યુવા ગ્રુપ અને મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના આગવેનાઓએ મોરબીના ભવ્ય સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવમાં દર્શન કર્યા હતા જ્યાં આયોજક અરવિંદભાઈ બારૈયા દ્વારા તમામ હોદેદારો નુ સન્માન કરાયું હતું.મોરબીમાં ઠેર ઠેર ગણપતિ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મોરબી પરશુરામ યુવા ગ્રુપ અને મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજના આગેવાનો દ્વારા પણ આમંત્રણને માન આપી તમામ ગણપતિ મહોત્સવમાં હાજરી પાઈ આરતી અને પૂજા અર્ચના કરી દર્શનનો લાભ લીધો હતો જેમાં મોરબી સિદ્ધિવિનાયક કા રાજા માં મહા આરતીનો લાભ લઈ દર્શન કર્યા હતા આ ઉપરાંત હાઉસીંગ બોર્ડ કા રાજા , અંબિકા ચોક કા રાજા સહિતના તમામ નાના મોટા ગણપતિ મહોત્સવમાં હાજરી આપી દર્શનનો લાભ મેળવ્યો હતો.
 
આ દર્શન દરમ્યાન મોરબીના ભવ્ય સિદ્ધિવિનાયક કા રાજામાં મોરબી પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ અતુલભાઈ જોશી,મહામંત્રી નયનભાઈ પંડ્યા અને મોરબી જીલ્લા સમસ્ત બ્રહ્મ સમાજની પાંખના મહમંત્રી ચિંતનભાઈ ભટ્ટ અને મોરબી જીલ્લા ભાજપના મંત્રી તેમજ સમસ્ત બ્રહ્મસમાજના મહામંત્રી નીરજભાઈ ભટ્ટ સહિતના બ્રહ્મસમાજના આગેવાનો એ સિદ્ધિવિનાયક કા રાજા, હાઉસીંગ બોર્ડ કા રાજા અને અબિકા ચોક કા રાજા સહિતના મહા આરતી માં લાભ લઈ પૂજા નો લાભ મેળવ્યો હતો. જેમાં સિદ્ધિવિનાયક કા રાજાના આગેવાન અરવિંદભાઈ બારૈયા અને ઓમ બારૈયા દ્વારા તમામ આગેવાનો નું ખેસ પહેરાવી ગણપતિ દાદા નો ફોટો ભેટ આપી સન્મના કર્યું હતું.





Latest News