મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ મોરબીમાં ભાજપ સાથે 32 વર્ષથી જોડાયેલ આગેવાને પક્ષમાંથી આપ્યું રાજીનામુ ટંકારા તાલુકામાં ધોળા દિવસે  ચોરી કરનાર આરોપીના જામીન મંજુર મોરબીના જૂના ઘૂટું રોડ ઉપરથી 1776 બોટલ દારૂ ભરેલ કાર સાથે રાજકોટનો શખ્સ પકડાયો, માલ આપનાર અને મંગાવનારની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના ચકમપર ગામે ગૌચરમાં દબાણ કરનારાઓને પ્લોટ ન આપવા સરપંચની રજુઆત


SHARE













મોરબીના ચકમપર ગામે ગૌચરમાં દબાણ કરનારાઓને પ્લોટ ન આપવા સરપંચની રજુઆત

મોરબીના ચકમપર ગામે થોડા દિવસો પહેલા ગૌચરની જમીન ઉયપર થયેલા દબાણોને તોડવામાં આવેલ છે અને ત્યારે ગામના મહિલા સરપંચે હાલમાં ટીડીઓને લેખિત રજુઆત કરીને દબાણ કરનારાઓને અગાઉ સરકારની ૧૦૦ ચોરસવાર યોજનામાં પ્લોટ આપવામાં આવ્યા હતા આજે પ્લોટને વેચી નાખ્યા છે જેથી આગામી સમયમાં આ યોજનાનો લાભ તેઓને ન આપવામાં આવે તેના માટે રજૂઆત કરેલ છે.

મોરબી તાલુકાનાં ચકમપરના સરપંચ વિજયાબેન ધનજીભાઈએ હાલમાં ટીડીઓને લેખિત રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, ચકમપર ગામે ગૌચરની જમીનમાં દબાણ કરવામાં આવ્યું હતું તેના ઉપર સરકારી બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે અને ગૌચરની જમીનને ખુલ્લી કરાવવામાં આવી છે જો કે, દબાણ કરીને રહેતા પરિવારોમાંથી મોટાભાગનાઓને અગાઉ સરકાર દ્વારા ૧૦૦ ચોરસ વારના પ્લોટમાં આપવામાં આવ્યા હતા ત્યાં મકાન બનાવીને તેઓએ વેચી નાખ્યા હોય આગામી સમયમાં ચકમપર ગામે કે પછી અન્ય ગામમાં તેઓને ૧૦૦ ચોરસવાર યોજનાનો લાભ ન આપવામાં આવે અને મોરબી જિલ્લામાથી હદપાર કરવા રજુઆત કરી છે






Latest News