મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાનું સારવાર દરમિયાન મોત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં સિરામિક ટ્રેડર્સ એસો. દ્વારા કાર રેલી યોજાઈ, બે-ત્રણ દિવસમાં આંદોલનનો સુખદ અંત આવે તેવી શકયતા મોરબી મચ્છુ-૨ ડેમમાં ન્હાવા પડેલા બે પૈકી એક યુવાનનું ડુબી જવાથી મોત વાંકાનેરના જેતપરડા ગામે માસુમ સેવા ફાઉન્ડેશ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે રવિવારે ભવ્ય બાઇક મશાલ રેલીનું આયોજન મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત
Breaking news
Morbi Today

મોરબીમાં પક્ષઘાતની બીમારીથી કંટાળીને યુવાને જીવન ટૂંકાવ્યું


SHARE









મોરબીમાં પક્ષઘાતની બીમારીથી કંટાળીને યુવાને જીવન ટૂંકાવ્યું

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા યુવાનને છેલ્લા બે વર્ષથી પક્ષઘાતની બીમારી હોય તે પોતાના જીવનથી કંટાળી ગયો હતો જેથી કરીને તેણે પોતાના ઘરની અંદર લાકડાની આડસમાં દોરી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો ત્યાર બાદ તેને તાત્કાલિક મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે જોઈ તપાસીને તે યુવાનને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના કાલિકા પ્લોટ વિસ્તાર શેરી નં-૨ માં આવેલા હુડકો ક્વાર્ટરમાં રહેતા અશોકભાઈ ઈશ્વરભાઈ ચુહાર જાતે દેવીપુજક (૪૫)એ પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તાત્કાલિક તેનો દીકરો રમણભાઈ અશોકભાઈ (૨૦) તેઓને લઈને મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે આવ્યો હતો અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા ત્યારબાદ આ બનાવની મૃતકના દીકરાએ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એચ.એમ. ચાવડા ચલાવી રહ્યા છે વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મૃતક યુવાનને છેલ્લા બે વર્ષથી પક્ષઘાતની બીમારી હતી અને જીવન દવા ઉપર જીવતા હોય જેથી તેઓ પોતાના જીવનથી કંટાળી ગયા હતા અને પોતાના ઘરની અંદર છતના ભાગે પતરાને નીચે લગાવેલ લાકડાની આડસમાં પ્લાસ્ટિકની દોરી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે જે અંગેની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ રોહીદાસપરામાં રેલ્વે સ્ટેશનની પાછળના ભાગમાં રહેતા હંસાબેન ખીમજીભાઈ ચૌહાણ (૬૪) નામના વૃદ્ધા મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ધક્કાવાડી મેલડી માતાજીના મંદિર પાસેથી બાઈકમાં પાછળના ભાગે બેસીને પસાર થઈ રહ્યા હતા ત્યારે અકસ્માતે તેઓ બાઈકમાંથી નીચે પડી જતા તેઓને ઇજા થઈ હતી જેથી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ વી.કે. પટેલ ચલાવી રહ્યા છે






Latest News