મોરબીની જેલમાંથી વચગાળાના જામીન મેળવીને ફરાર થયેલા હત્યના ગુનાના કેદીને પકડીને જેલ હવાલે કરાયો
SHARE
મોરબીની જેલમાંથી વચગાળાના જામીન મેળવીને ફરાર થયેલા હત્યના ગુનાના કેદીને પકડીને જેલ હવાલે કરાયો
મોરબી જિલ્લાની જેલમાંથી હત્યના ગુનામાં સંડોવાયેલ કાચા કામના કેદીએ વચગાળાના જામીન મેળવ્યા હતા ત્યાર બાદ તે જેલ ફરારી થયેલ હતો જેથી તેને પકડીને મોરબી એલસીબીની ટીમે જેલ હવાલે કરેલ છે
મોરબી જીલ્લાના પેરોલ ફર્લો, વચગાળાના જામીન ઉપર છુટેલ, જેલ ફરારી તેમજ પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલ કેદીઓને પકડવા ખાસ ઝુંબેશનુ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ ડી.એમ.ઢોલની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે દરમ્યાન પેરોલ ફર્લો સ્કોડના જયવંતસિંહ ગોહીલ, પૃથ્વીરાજસિંહ જાડેજા તથા દશરથસિંહ ચાવડાને ખાનગી રાહે હકિકત મળેલ હતી કે, માળીયા મિંયાણા તાલુકામાં વર્ષ ૨૦૨૧માં થયેલ હત્યાના ગુન્હાના કામે પકડાયેલા કાચા કામના કેડીએ હાઇકોર્ટમાંથી ૭ દિવસના ટેમ્પરરી જામીન મેળવાયા હતા અને જેલ મુકત થયેલ હતો ત્યાર બાદ કાચા કામનો કેદી રજા પૂર્ણ થતાં પરત મોરબી જેલમાં હાજર નહી થઇ વચગાળાના જામીન ઉપરથી જેલ ફરાર થયેલ હતો જેથી કાચા કામના કેદી સુનિલભાઇ લાભુભાઇ કોરડીયા રહે.વેણાસર તાલુકો માળીયા વાળો હળવદ તાલુકાના માનગઢ ગામની સીમમાં હોવાની હકીકત મળેલ હતી જેના આધારે પોલીસે કેદી સુનિલ લાભુભાઇ કોરડીયા જાતે કોળી (૩૦) રહે. મુળ વેણાસર હાલ રહે. મધુપુર વાળાને હસ્તગત કરીને મોરબી સબ જેલ હવાલે કરવામાં આવેલ છે.