ખાનગી વીજ કંપનીની દાદાગીરી સામે મહાઆંદોલન: ખેડૂત હક અધિકાર પગપાળા ન્યાય યાત્રા મોરબી જીલ્લામાં પણ આવશે મોરબી નજીક ડમ્પરમાં કાર ઘૂસી જતાં બે યુવાનના મોત: મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે રોંગ સાઈડમાં આવેલ ડમ્પર ચાલકે બાઈકની હડફેટે લેતા આધેડનું મોત હળવદના દેવળીયા ગામે સ્કૂલેથી છૂટીને ઘરે જતી પાંચ છોકરીઓને બુલેટ ચાલકે હડફેટે લેતા એકનું મોત, ત્રણને ઇજા: ગુનો નોંધાયો મોરબીમાં રોડની સફાઈ માટે મહાપાલિકામાં અરજી કર્યાનો ખાર રાખીને યુવાન અને તેના પિતા-ભાઈને ચાર શખ્સોએ માર માર્યો: 17,000 રૂપિયા પડાવી લીધા! મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં અદાણી કંપનીની તાનાશાહી અને ખેડૂતોની લાચારીને ઉજાગર કરતું નાટક રજૂ કરાયું માળીયા (મી)ના કાજરડા ગામ નજીકથી ચોરાઉ બાઇક-એક્ટિવા સાથે એક શખ્સ પકડાયો મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેરના નવા વઘાસીયા ગામે વાહનના પૈસા કેમ ઉઘરાવ્યા છે તેમ કહીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો


SHARE











વાંકાનેરના નવા વઘાસીયા ગામે વાહનના પૈસા કેમ ઉઘરાવ્યા છે તેમ કહીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો

વાંકાનેર તાલુકાના નવા વઘાસીયા ગામે આંબેડકરના સ્ટેચ્યુ પાસે યુવાને ત્રણ શખ્સો દ્વારા એક દિવસ નિકળીએ તો પૈસા કેમ ઉઘરાવિયા છે ? તેવું કહીને ઢીકાપાટુનો માર મારીને વિખોરિયા ભરીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા સારવાર લેવામાં આવ્યા બાદ આ બનાવની હાલમાં ત્રણ  શખ્સોની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના નવા વઘાસીયા ગામે આંબેડકરના સ્ટેચ્યુ પાસે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવ સંદર્ભે હાલમાં નવા વઘાસિયા ગામે રહેતા કિશોરભાઈ પોપટભાઈ મકવાણા જાતે અનુ.જાતી (૩૫)એ હાલમાં જગદીશભાઈ નારણભાઈ સોલંકી, કિશોરભાઈ નારણભાઈ સોલંકી અને પારસભાઈ મહેશભાઈ સોલંકી રહે નવા વઘાસિયા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, આરોપી જગદીશભાઈ સોલંકીએ ફરિયાદીને કહ્યું હતું કે એક દિવસના અહીંથી વાહન નીકળવાના પૈસા કેમ ઉઘરાવીયા છે એવું કહીને ફરિયાદી યુવાને ગાળો આપી હતી અને કાઠલો પકડીને કિશોરભાઈ સોલંકીએ માર મારી ગાળો આપી હતી અને પારસભાઈ સોલંકીએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં વાંકાનેર સુધી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News