મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

આપણી રાગદ્વેષ કરાવે તે બુદ્ધિ જો નિર્મળ થઇ જશે તો રામના ખોળે જઇ શકશુ: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ


SHARE











મોરબી નજીકના નાનીવાવડી ગામ પાસે આવેલ કબીરધામ ખાતે મોરારીબાપુની રામકથા ચાલે છે ત્યાં આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આવ્યા હતા અને તેમને પણ લગભગ એક કલાક કરતા વધુ સમય સુધી કથાનું શ્રવણ કર્યું હતું અને ત્યારબાદ તેમણે કથા સાંભળીને ટૂંકમાં શ્રોતાઓને સંબોધતા એટલું જ કહ્યું હતું કે રામના ખોળે જવું હોય તો આપણી જે રાગદ્વેષ કરાવે તેવી બુદ્ધિ નિર્મળ થઇ જશે તો રામના ખોળે જઇ શકશુ

મોરબીમાં 11 મહિના પહેલા જુલતો પુલ તુટી પડ્યો હતો અને તેમાં 135 જેટલા લોકોના મૃત્યુ નીપજયા હતા તે દિવંગત આત્માઓના મોક્ષાર્થે હાલમાં મોરબી નજીકના નાનીવાવડી ગામે કબીર આશ્રમની સામેના ભાગમાં રામકથાકાર મોરારીબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે જેના મુખ્ય યજમાન રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયા છે અને આજે કથાના બીજા દિવસે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, મંત્રી ભાનુબેન બાબરીયા, માજી મંત્રી બ્રિજેશભાઈ મિરજા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા સહિતના રાજકીય આગેવાનો તથા સંતો મહંતો સહિતના હજારોની સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને સામાન્ય શ્રોતાઓની જેમ મુખ્યમંત્રીએ પણ એક કલાક કરતાં વધુ સમય સુધી મોરારીબાપુની કથામાં પ્રત્યક્ષ હાજર રહીને કથાનું શ્રવણ કર્યું હતું અને ખાસ કરીને મુખ્યમંત્રીએ લોકોનું સંબોધન કરતા કહ્યું હતું કે રામના ખોળે જવું હોય તો આપણી રાગદ્વેષ કરાવે તે બુદ્ધિ જો નિર્મળ થઇ જશે તો રામના ખોળે જઇ શકશુ






Latest News