આપણી રાગદ્વેષ કરાવે તે બુદ્ધિ જો નિર્મળ થઇ જશે તો રામના ખોળે જઇ શકશુ: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ
મોરબીના એસટી ડેપોમાં એસટીની ખાનગી વોલ્વો બસમાં આગ લગતા દોડધામ
SHARE
મોરબીના એસટી ડેપોમાં એસટીની ખાનગી વોલ્વો બસમાં આગ લગતા દોડધામ
મોરબીના શનાળા રોડે આવેલા નવા બસ સ્ટેન્ડમાં એસટીની ખાનગી વોલ્વો બસ સર્વિસ સ્ટેશનમાં મૂકવામાં આવી હતી ત્યારે કોઈ કારણોસર તેમાં આગ લાગુ હતી જેથી કરીને આગમી ઝપેટમાં આવી ગયેલ બસ બળીને ખાખ થઈ ગઈ હતી. જો કે, કોઈને ઇજા કે પછી જાનહાનિ થયેલ નથી જાણવા મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડે આવેલા નવા બસ સ્ટેન્ડમાં સર્વિસ સ્ટેશનમાં ખાનગી વોલ્વોની બસ નંબર જીજે ૭ વાયઝેડ ૭૧૭૪ પાર્ક કરીને મૂકી હતી જે બસમાં કોઈ કારણોસર આગ લાગી હતી જેથી મોરબી પાલિકાના ફાયર વિભાગને તે બનાવની જાણ કરવામાં આવી હતી જેથી કરીને ફાયરની ટિમ ત્યાં દોડી આવી હતી અને આગની ઝપેટમાં આવી ગયેલ બસમાં લાગેલ આગને કાબુમાં લેવા માટે પાણીનો મારો બે ફાયર ફાઇટરથી શરૂ કરવામાં આવ્યો હતો જો કે, આગ કાબુમાં આવી ત્યાં સુધીમાં તે બસ સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયેલ હતી અને વધુમાં એસટી વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ આ વોલ્વો બસ આજે સાંજે સાત વાગ્યે મોરબીથી નાથદ્વારા જવા માટે રવાના થવાની હતી તે પહેલા જ બસ સ્ટેશનમાં કોઈ કારણોસર બસમાં આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. જો કે, બસનો ડ્રાઈવર સમયસર નીચે ઉતારી જતાં તેનો જીવ માંડમાંડ બચ્યો હતો હાલમાં કોઈને ઇજા પણ થયેલ નથી અને કોઈ જાનહાનિ પણ નથી જો કે, રાતના સમયે ચાલુ બસે જો આવી ઘટના બની હોય તો મોટી દુર્ઘટના બની ગઈ હોત તેવું એસટીના સ્તફમાં ચર્ચાઇ રહ્યું હતું