મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

ટંકારાના નાના ખીજડીયા ગામે તાલુકા શાળામાં વ્યસનની જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધા યોજાઇ


SHARE







ટંકારાના નાના ખીજડીયા ગામે તાલુકા શાળામાં વ્યસનની જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધા યોજાઇ

ટંકારાના નાના ખીજડીયા ગામે તાલુકા શાળામાં વ્યસનની જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધા યોજાઇ હતી જેમાં ધો. ૫ થી ૮ ના કુલ ૬૦ બાળકોએ ભાગ લીધેલ હતો અને પોતાની આવડત મુજબ ચિત્રો બનાવ્યા હતા જેમાં પ્રથમ નંબરે પચાયા સુમિતા, દ્રિતીય નંબરે અજમાત્રા રેહાના તથા તૃતીય નંબરે પચાયા સંત્રી વિજેતા બનેલ હતા તેને ઇનામ આપવામાં આવ્યા હતા અને સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા ત્યાર બાદ લજાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુપરવાઇઝર હિતેષભાઈ કે. પટેલ દ્વારા  વિદ્યાર્થીઓને તમાકુના વ્યસનની જાગૃતિ અંગે, વ્યસનની શારીરિક અસરો, આર્થિક અસરો વગેરે બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને દરેક વિદ્યાર્થીઓને પોતે તમાકુ મુક્ત રહેવા અને પોતાના પરિવારને પણ વ્યસનમુક્ત રહેવા અનુરોધ કર્યો હતો, આ કાર્યક્રમમાં આર.બી.એસ.કે. ડો. અમિતા સનારિયા, ડો.કેયૂર જાની, સી.એચ.ઑ. અર્ચના ભાડજા, જયદીપ ભટ્ટ, તનજીરાબાનું માથકીયા, મંતેશાબાનું હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય નમેરા દિવ્યેશભાઈ અને તથા સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી






Latest News