આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો મોરબીના ખાખરાળા ગામે આશાસ્પદ યુવાનને અંતિમ પગલું ભરી લેતા મોત ટંકારામાં હિટ એન્ડ રન : કાર ચાલકે મહિલાને હડફેટે લેતા સારવારમાં મોરબીમાં જૂની અદાવતમાં યુવાન ઉપર બેટ-લોખંડના સળિયા વડે હુમલો
Breaking news
Morbi Today

હળવદના દીઘડિયા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ મહિલાનું સારવારમાં મોત


SHARE













હળવદના દીઘડિયા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ મહિલાનું સારવારમાં મોત

હળવદ તાલુકાના દીઘડિયા ગામે રહેતી મહિલા વાડીએ કોઈ અસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબી અને ત્યાથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજયું છે જેથી આ બનાવ સંદર્ભે હોસ્પિટલ મારફતે હળવદ તાલુકો પોલીસને જાણ કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે

બનાવની જાણવા મળતી વિગત મુજબ હળવદ તાલુકાના દીઘડિયા ગામે રહેતા નીતાબેન નવઘણભાઈ દલસાણીયા (૩૭) નામની મહિલાએ પોતે વાડી વિસ્તારમાં હતી ત્યારે વાડીએ ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબી અને વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈને આવ્યા હતા અને રાજકોટ ખાતે સારવાર દરમિયાન નીતાબેન દલસાણીયાનું મોત નીપજયું છે જેથી આ બનાવની રાજકોટની હોસ્પિટલ મારફતે હળવદ તાલુક પોલીસને જાણ કરવા માટે કવાયત હાથ ધરી છે જોકે, મહિલાએ કયા કારણોસર ઝેરી દવા પીધી હતી તે દિશામાં પોલીસ દ્વારા હવે તપાસ કરવામાં આવશે

માર માર્યો

વાંકાનેર તાલુકાના જામસર ગામે ભવનભાઈ વાસુભાઈ સેઢાલીયા (૩૫) નામના યુવાનને ગુણાભાઈએ ઝઘડો કરીને માર માર્યો હતો જેથી કરીને ઈજા પામેલા યુવાનને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

વૃધ્ધાઓને ઇજા

મોરબી નજીકના નાનીવાવડી ગામે આવેલ ખોડીયાર સોસાયટીમાં ઘર પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં શારદાબેન ડાયાભાઈ પટેલ (૬૫) અને રૂક્ષ્મણીબેન બચુભાઈ કૈલા (૮૦) નામના બે વૃદ્ધાઓને ઈજા થઈ હતી જેથી બંને વૃદ્ધાઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની વધુ તપાસ સબળસિંહ ચલાવી રહયા છે 






Latest News