મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં મિત્ર સાથે ચા ની દુકાને બેઠેલા યુવાન ઉપર છરી વડે હુમલો, ગુનો નોંધાતા તપાસ શરૂ


SHARE













મોરબીમાં મિત્ર સાથે ચા ની દુકાને બેઠેલા યુવાન ઉપર છરી વડે હુમલો, ગુનો નોંધાતા તપાસ શરૂ

મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામે આવેલા ઇન્દિરાનગર વિસ્તારનો રહેવાસી યુવાન તેના રહેણાંક વિસ્તાર પાસે આવેલ શિવમ હોસ્પિટલ પાસે ચા ની દુકાને તેના મિત્ર સાથે બેઠો હતો ત્યારે ત્યાં સામેવાળો ઇસમ તેની સાથે મશ્કરી કરતો હોય અને ગાળો બોલતો હોય તેને ગાળો આપવાની ના પાડી હતી જેથી જાહેરમાં અપમાનીત કરીને યુવાનના જમણા ખભાના ભાગે છરી વડે ઘા મારવામાં આવ્યો હતો.જેથી યુવાનને હાલ રાજકોટ ખસેડાયો હોય રાજકોટ ખાતેથી તેણે હુમલાખોર વિરુદ્ધ બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલા ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા રતિલાલ ઉર્ફે અતુલ નાનજીભાઈ સોલંકી નામના ૪૦વર્ષના યુવાન ઉપર તા.૪-૧૦ ના રોજ રાત્રિના દસેક વાગ્યે છરી વડે હુમલો કરવામાં આવ્યો હોય તેને મોરબી અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો.જેથી બનાવને પગલે પોલીસે રાજકોટ ખાતે પહોંચીને ભોગ બનેલા રતિલાલ સોલંકીની ફરિયાદ લીધી હતી.જેમાં તેણે પોલીસને જણાવ્યું હતું કે તે તેના મિત્ર સાથે શિવમ હોસ્પિટલ પાસે આવેલ ચા ની દુકાને બેઠો હતો ત્યારે ત્યાં સામેવાળા રવિ છગનદાસ નિમાવત રહે.મોરબી વાળાએ તેની મશ્કરી કરી હતી.જેથી મશ્કરી કરવાની ના પાડતા રવિ નિમાવતે ગાળો આપીને તેને જાહેરમાં જાતિપ્રત્યે અપમાનીત કર્યો હતો અને જમણા ખભાના ભાગે પીઠમાં છરીનો ઘા જીંકી દીધો હતો.જેથી હાલ બી ડિવિઝન પોલીસે રતિલાલ સોલંકીની ફરિયાદ નોંધીને એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ રવિ નિમાવત સામે ગુનો નોંધેલ છે.જેની આગળની તપાસ એસસીએસટી સેલના ડીવાયએસપી ઝાલા ચલાવી રહ્યા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવેલ છે.

બાળકીને ઈજા

મોરબીના શાકમાર્કેટ નજીક આવેલ ગાંધીચોક વિસ્તારમાં વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જે બનાવની અંદર ક્રિષ્નાબેન રામભાઈ મુંજારીયા (ઉમર ૪) રહે.રવાપર ગામ બહુચર માતાના મંદિર પાસે વાળીને ઇજાઓ થતા તેણીને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવી હતી.જેથી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ આ બાબતે નોંધ કરીને તપાસ કરી હતી.જ્યારે માધાપરા શાક માર્કેટ પાસે અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લેતા મોરબીના ઇન્દીરાનગર (મહેન્દ્રનગર) પાસે રહેતા બાવજીભાઈ માનસિંગભાઈ નામના ૫૬ વર્ષના વૃદ્ધને ઇજા પહોંચતા ખાનગી હોસ્પીટલે સારવારમાં ખસેડાયા હતા.

એસિડ પી જતા સારવારમાં

મોરબીના સબજેલ ચોક વિસ્તારના સામેના ભાગે મકાન ધરાવતા ધનજીભાઈ મંગાભાઈ લઢેર નામના ૬૩ વર્ષના વૃદ્ધ કોઈ અગમ્ય કરણોસર એસિડના બે ઢાંકણા પી ગયા હતા.જેથી તેઓને મોરબીની ખાનગી જે.આર.હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ જવાયા હતા અને ત્યાંથી હાલ તેઓને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયા હોવાનું મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક દ્રારા જણાવવા આવેલ છે અને આ કેસની આગળની તપાસ હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવેલ છે.






Latest News