મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે સ્થાનિક લોકો દ્વારા પાટીદાર નવરાત્રિનો વિરોધ, કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું


SHARE













મોરબીના રવાપર ગામે સ્થાનિક લોકો દ્વારા પાટીદાર નવરાત્રિનો વિરોધ, કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

મોરબીના રવાપર ગામ પાસે આવેલ શક્તિ સોસાયટી અને રવાપર રેસિડેન્સીની વચ્ચેના ગ્રાઉન્ડમાં નવરાત્રીનું કોમર્શિયલ આયોજન કરવામાં આવ્યું છે ત્યાં નવરાત્રીમાં મોડી રાત સુધી રાસ ગરબા ચાલુ રહેતા તેવી શક્યતા છે જેથી કરીને પ્રેગનેટ મહિલા, બાળકો, વૃદ્ધો સહિતનાઓને તકલીફ થાય તેવી શક્યતા છે જેથી આ આયોજનની સામે સ્થાનિકો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે અને કલેક્ટરને આવેદન પત્ર આપીને નવરાત્રિ માટેના આયોજનનું સ્થળ બદલાવવામાં આવે તેવી માંગ કરી છે  

મોરબી સહિત સમગ્ર ગુજરાતની અંદર નવરાત્રીના જુદા જુદા સ્થળો ઉપર મોટા આયોજનો કરવામાં આવતા હોય છે તેવી જ રીતે મોરબી નજીકના રવાપર ગામ પાસે શક્તિ સોસાયટી અને રવાપર રેસિડેન્સીની વચ્ચેના ગ્રાઉન્ડમાં સેવા એ જ સંપત્તિ ટ્રસ્ટ દ્વારા પાટીદાર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે જોકે, શક્તિ સોસાયટી, રવાપર રેસિડેન્સી સહિતની સોસાયટીની વચ્ચે આવેલા ગ્રાઉન્ડમાં પાટીદાર નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને સ્થાનિક લોકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો છે અને જુદી જુદી સોસાયટીઓ અને ૨૫ જેટલા બહુમાળી બાંધકામોમાં રહેતા લોકોમાં પ્રેગનેટ મહિલા, બાળકો, વૃદ્ધો સહિતનાઓને હાલાકીનો સામનો કરવો પડે તેવી શક્યતા છે જેથી કરીને નવરાત્રિના આયોજનની સામે વાંધો લઈને તેને આ નવરાત્રિના આયોજનને અન્ય સ્થળે ખસેડવામાં આવે તેવી માંગણી કરી છે અને જો તંત્ર દ્વારા તેને ધ્યાને નહીં લેવામાં આવે તો આગામી સમયમાં સ્થાનિક લોકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવશે તેવી પણ ચીમકી સ્થાનિક લોકોએ વિચારી છે






Latest News