મોરબીની ભારતી વિધાલય શાળામાં જ્ઞાનનો KBC 2023 કાર્યક્રમ યોજાયો
મોરબી સમસ્ત પ્રજાપતિ સમાજ દ્વારા ભગત ગોરા કુંભાર વિષે બફાટ કરનારા સ્વામી સામે પગલાં લેવાની માંગ
SHARE
મોરબી સમસ્ત પ્રજાપતિ સમાજ દ્વારા ભગત ગોરા કુંભાર વિષે બફાટ કરનારા સ્વામી સામે પગલાં લેવાની માંગ
તાજેતરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ પ્રજાપતિ સમાજમાં પૂજાતા સંત ભગત ગોરા કુંભાર અને તેમની પત્ની વિશે બફાટ કરેલ છે જેથી કરીને પ્રજાપતિ સમાજમાં રોષની લાગણી ફેલાયેલ છે ત્યારે મોરબીના વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ અને સમસ્ત પ્રજાપતિ સમાજ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવેલ છે જેમાં જણાવ્યુ છે કે, સ્વામીનારાયણ સંપ્રદાયના બ્રહ્મસ્વરૂપ સ્વામીએ પ્રજાપતિ સમાજના ભક્ત ગોરા કુંભાર અને એમનો પત્ની વિશે અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને ટિપ્પણી કરી છે જેથી બેફામ વાણી વિલાસ કરનારા સ્વામીનારાય સંપ્રદાયના સ્વામિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને ભવિષ્યમાં આવા નિવેદનો ન આપે તેવી ખાતરી આપીને સ્વામી પ્રજાપતિ સમાજની માફી માંગે તેવી માંગ કરેલ છે