મોરબીમાં રિસામણે બેઠેલ પત્નીના ઘરે જઈને પતિએ ગાળો આપીને સાળાને કપાળમાં પાઇપ ફટકાર્યો
વાંકાનેરના કોટડાનાયણી ગામે ઝેરી જનાવર કરડી જતાં સારવાર દરમ્યાન મહિલાનું મોત
SHARE
વાંકાનેરના કોટડાનાયણી ગામે ઝેરી જનાવર કરડી જતાં સારવાર દરમ્યાન મહિલાનું મોત
વાંકાનેરના કોટડાનાયાણી ગામે આવેલ માતાજીના મઢે મહિલાને ઝેરી જીવડું કરડી ગયો હતો જેથી કરીને તે મહિલાને ઝેરી અસર થઈ હોવાથી તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજયું છે જેથી કરીને હોસ્પિટલ મારફતે આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ રાજકોટમાં વેલનાથ પરા શેરી નં. ૧૬-૧૮ ના ખૂણે રહેતા પૂજાબેન ગોપાલભાઈ માણસુરીયા (૪૧) વાંકાનેર તાલુકાના કોટડાનાયણી ગામે આવેલ માતાના મઢે દર્શન કરવા માટે થઈને આવ્યા હતા ત્યારે ત્યાં કોઈ ઝેરી જીવડું કરડી જતા તેને ઝેરી અસર થઈ હતી જેથી કરીને તેઓને તાત્કાલિક સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવ સંદર્ભે રાજકોટ સિવિલ હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
માર માર્યો
મોરબીના લાઈન્સનગરમાં રહેતા ધર્મેન્દ્રભાઈ નટવરભાઈ પંડ્યા (૩૦) નામના યુવાનને ઘરે મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી કરીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારે તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળ વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના એચ.એમ. મકવાણા ચલાવી રહ્યા છે









