વાંકાનેરના કેરાળા પાસે કાર ટ્રકમાં ઘૂસી જતાં અકસ્માત, એકનું મોત: ત્રણને ઈજા
મોરબીના રફાળેશ્વર નજીક રિક્ષામાં ઇજા યુવાનને અકસ્માતમાં ઇજા થતાં સારવારમાં મોત
SHARE
મોરબીના રફાળેશ્વર નજીક રિક્ષામાં ઇજા યુવાનને અકસ્માતમાં ઇજા થતાં સારવારમાં મોત
મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર નજીક દરિયાલાલ હોટલ સામે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં રિક્ષામાં જઈ રહેલા યુવાનને ગંભીર ઇજા થઇ હતી જેથી તેને સારવાર માટે રાજકોટ લઈને ગયા હતા દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ રાધેશ્યામ સીતારામ સૂર્યવંશી (૨૭) રહે. હેમોલા ટાઇલ્સ વાળો મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામ પાસે દરિયાલાલ હોટલ નજીકથી રિક્ષામાં જતો હતો ત્યારે અજાણ્યા વાહને હડફેટે લેતા અકસ્માતના આ બનાવમાં રાધેશ્યામ સીતારામ સૂર્યમંદિરને ઇજા થતાં તેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી કરીને હોસ્પિટલ મારફતે આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે
અકસ્માતમાં ઇજા
મોરબી હળવદ હાઇવે ઉપર આવેલ નીચી મંડળ ગામ પાસેથી ડબલ સવારી પસાર થયું હતું તેને કાર અને બાઇક વચ્ચે અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં રાહુલ દેવસીભાઈ ચૌહાણ (૨૩) રહે. ચરાડવા અને અરુણ જીલુભાઈ બાંભવા (૧૬) રહે. અંદરણા વાળા બે વ્યક્તિઓને ઇજાઓ થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્તોને મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જસપાલસિંહ જાડેજા ચલાવી રહ્યા છે
અકસ્માતમાં ઇજા
મોરબી તાલુકાના બહાદુરગઢ ગામે રહેતા ભાનુબેન તુલસીદાસ અગ્રાવત (૬૦) નામના વૃદ્ધા રિક્ષામાં બેસીને ભરતનગર ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ભરતનગર ગામ નજીક આવેલ સર્વોદય હોટલ પાસે ટ્રક અને રીક્ષા વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં વૃદ્ધાને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
માર માર્યો
માળીયા અને સામખયારી વચ્ચે આવેલ ટોલનાકા પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં રાજસ્થાનના બિકાનેર ખાતે રહેતા હેમારામ ભાદારાજરામ જાટ (૩૮) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે









