માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે પાટીદાર નવરાત્રીના આયોજનને રોક લાગશે તો લડતની ચીમકી: સોસાયટીના લોકો જ આમને સામને !


SHARE













મોરબીના રવાપર ગામે પાટીદાર નવરાત્રીના આયોજનને રોક લાગશે તો લડતની ચીમકી: સોસાયટીના લોકો જ આમને સામને !

મોરબીના રવાપર ગામે શક્તિ ટાઉનશીપ પાસે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે જેના વિરોધમાં થોડા દિવસો પહેલા સ્થાનિક લોકોએ આવેદનપત્ર આપ્યું હતું ત્યારે બાદ ગામના સરપંચ સહિતના સ્થાનિક લોકોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું છે અને જો નવરાત્રીના આયોજન ઉપર રોક લાગશે તો લડત શરૂ કરાશે તેવી ચીમકી ઉચ્ચારી છે આમ નવરાત્રીના આયોજન માટે હાલમાં સોસાયટીના લોકો સામસામે આવી ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે

મોરબીમાં રવાપર ગામે આવેલ શક્તિ ટાઉનશિપ અને રવાપર રેસિડેન્સીની વચ્ચેના ગ્રાઉન્ડમાં સેવા   સંપત્તિ ટ્રસ્ટ દ્વારા પાટીદાર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે  જેની સામે વિરોધ વ્યક્ત કરીને સ્થાનિક લોકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો અને ુદી ુદી સોસાયટીઓના લોકો તેમજ ૨૫ ેટલા બહુમાળી બાંધકામોમાં રહેતા લોકોમાં પ્રેગનેટ મહિલાબાળકોવૃદ્ધો સહિતનાઓને હાલાકીનો સામનો કરવો પડે તેવી શક્યતા છે તેવી કહીને નવરાત્રિના આયોજનને અન્ય સ્થળે ખસેડવામાં આવે તેવી માંગ કરી હતી દરમ્યાન ગામના સરપંચ નિતિનભાઈ પટેલ તેમજ શક્તિ ટાઉનશિપમાં રહેતા બીજા લોકોની સહી સાથે બીજું આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં જણાવ્યુ છે કે, અગાઉ આપેલા આવેદનપત્રમાં ઘણા સ્થાનિકોની સહમતિ નથી. અને દર વર્ષે આયોજન કરવામાં આવે છે તો આ વર્ષે જ કેમ વાંધો લેવામાં આવેલ છે તેવો સવાલ પણ કરવામાં આવેલ છે અને જો રાજકીય રાગદ્વેસથી નવરાત્રીના આયોજન ઉપર રોક લગાવવામાં આવશે. તો હિન્દુ સંગઠનોને સાથે રાખીને કાયદાકીય લડત કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે જેથી નવરાત્રીના આયોજનને લઈને હાલમાં સોસાયટીના લોકો જ સામસામે આવી ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે






Latest News