માનવતા મરી પરવારી !: મોરબીમાં બે દિવસની બાળકીના મૃતદેહને હોસ્પિટલમાં છોડીને પરિવારજનો નાસી ગયા
મોરબીમાં હદય બંધ થઈ જતાં બે વર્ષના બાળકનું મોત
SHARE
મોરબીમાં હદય બંધ થઈ જતાં બે વર્ષના બાળકનું મોત
મોરબીના રવાપર ગામ પાસે આવેલ એસપી રોડ ઉપર રહેતા બે વર્ષના બાળકને ઝાડા, ઉલટી અને તાવ હોવાથી તેને સારવાર માટે લઈને આવ્યા હતા અને સારવાર દરમિયાન તે બાળકને હદય બંધ થઈ જતાં તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
વર્તમાન સમયમાં હાર્ટ એટેકના બનાવો સતત વધી રહ્યા છે અને ખાસ કરીને યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધારે હોય તેવું જોવા મળી રહ્યું છે તેવામાં મોરબી નજીકના રવાપર ગામે આવેલ એસપી રોડ ઉપર રહેતા સુરેશભાઈ સિંગારના બે વર્ષના દીકરા રિતેશને ઝાડા, તાવ અને ઉલટી હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે બાળકનું હદય બંધ થઈ જતાં તેનું મોત થઈ ગયું હતું જેથી કરીને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
માર માર્યો
ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે રહેતા જાનુમામદ અબ્દુલ (૪૦) નામના યુવાનને મોરબીમાં ચિત્રકૂટ સિનેમા પાસે આવેલ ગાયત્રી મોબાઈલ નજીક મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઈજા થવાથી યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી